SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૨૩ ૧૬૯ આત્માનુભવના રંગે જે રંગાઈ ગયો તે ચેતન એની ચેતનાથી એકાકાર થવાથી જડ એવાં પર એવાં દેહ, જેને સહુ કોઈ દુનિયામાં મોહવશ, અજ્ઞાનવશ સ્વ માની, દેહ જ સર્વસ્વ છે, એવાં દેહભાવથી વર્તે છે; તેનાથી છૂટો પડી ગયેલો, વિદેહી બની ગયો હોય છે. એ આત્માનુભવી ચેતનને દેહ છે પણ, દેહમોહ નથી અને દેહભાવ પણ નથી કે જેવાં અન્ય સંસારી અજ્ઞાની જીવોને દેહ, દેહનો મોહ એટલે દેહભાવ અને દેહને રમવાના રમકડાંરૂપ બહારના વસ્તુ અને વ્યકિતના પરિગ્રહ હોય છે. હવે જેને દેહનો જ મોહ નથી, દેહભાવ જ નથી, દેહને પોતાનો નહિ માનતા પર, જડ અને વિનાશી માને છે, અને પછી દેહનો રોગ શું અને દેહનું આરોગ્ય શું ? દેહના સુખ દુઃખના હરખ અને શોક શું ? જ્યાં દેહ જ પર છે ત્યાં દેહથી અળગા વસ્તુ અને વ્યકિતના મળવા કે ગુમાવવા ઉપર શું રાગ કે દ્વેષ કરવાં ? જે સ્વને ઓળખીને, સ્વને સમજીને, સ્વને સ્વમાં આસ્વાદી - અનુભવીને સ્વમાં સમાઈ ગયો છે; એ આવાં સર્વ સુખ દુ:ખ, હર્ષ શોક, રાગ દ્વેષ, જય પરાજય, નીરોગી રોગી, માન અપમાન, લાભ નુકસાનના બંધોથી પર કંકાતીત એવી નિર્દઢ અવસ્થાને પામી ગયો હોય છે. તેથી ભેદોની વચ્ચે પણ અભેદ, અભય, અખેદ, અદ્વેષ રહી અંતે પ્રેતથી છૂટી અતને પામે છે. જેણે આવી નિર્તક ઉન્મની અવસ્થાને પ્રાપ્ત કરી લીધી હોય, એવી લોકોત્તર દશામાં બધી લોકસંજ્ઞા, લોકહેરી, લોકવાદ મટી ગયા હોય છે. સંસારમાં પ્રધાનપણે ત્રણ એષણા હોય છે. વિરેષણા, પુરૂષણા અને લોકેષણા. વિ7ષણા અને પુરૂષણાથી છૂટવું સહેલું છે અને સાધક એનાથી છૂટી જતો હોય છે. પણ સાઘક જો પડતો હોય તો લોકેષણામાં તણાઈને પતિત થતો હોય છે. પરંતુ જે આવો નિબંદ્ર ઉન્મની બન્યો હોય છે તે તો સઘળીયા લોકેષણા, લોકસંજ્ઞા, લોકહેરી, લોકવાદથી પર હોય છે. એ તો લોકોત્તમના લક્ષ્યપૂર્વક લૌકિકમાંથી લોકોત્તર બન્યા હોય છે. ફલસ્વરૂપ આવો આત્મા એનામાં સત્તાગત રહેલાં એના અનાદિના, અચલ, અબાધિત એવાં કલ્યાણકારી (શંકર - શુભમ્ કરોતિ ઈતિ શંકર) શિવસ્વરૂપ કેવલ્યને પામે (ભેટે) છે. જ્યાં જ્યાં વિકલ્પતા ત્યાં ત્યાં દુઃખ અને જ્યાં જ્યાં નિર્વિકલ્પતા ત્યાં ત્યાં સુખ.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy