SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આનંદઘન પદ સાધકને અનેક ભયજનક દૃશ્યોનો સામનો કરવો પડે છે. આ વખતે, જે જરાપણ ભય ન પામતા, મરણિયો બની ગ્રંથિને ભેદવાનો પુરુષાર્થ કરે છે અને તે વખતે, ‘કયાં હું નહિ કયાં તું નહિ'ના પ્રચંડ સંકલ્પબળ સહિત આગળ વધે છે, તેજ વર્ષોના વર્ષોના અથાગ પ્રયત્નને અંતે તેનો ભેદ કરી સમ્યગ્દર્શનનું વિજય તિલક આત્માના લલાટે પામે છે. - આ માર્ગે આગળ વધવા પ્રચંડ પુરુષાર્થની જેમ ધૈર્ય પણ અત્યંત જરૂરી બને છે. જરા પણ અધીરતા આવે તો આ માર્ગે પાછા પડવા જેવું થાય છે. પરને જાણનારી પોતાની જ પર્યાય જીવને જણાય છે. તત્ત્વથી પર એવાં લોકાલોક નથી જણાતા પરંતુ લોકાલોક સમસ્તને જાણનારી પોતાની પર્યાય જ કેવળી ભગવંતને એમના કેવળજ્ઞાનમાં જણાય છે. ૨૧ આ વસ્તુને વાચા આપતા અધ્યાત્મદર્શી પુરુષે પોતાના ગ્રંથિભેદ નામના પુસ્તકમાં લખ્યું છે કે - અકામ નિર્જરામાં સકામ નિર્જરાના અંશોનુ બળ ઓછું પડવાથી આત્મા અનંતીવાર ગ્રંથિભેદની નજીક આવી પાછો પડ્યો છે અને ગ્રંથિભેદ કરી શક્યો નથી. પ્રબળગ્રંથિમાં પ્રવેશ કર્યા પછી મોહનીયના કારણે રૂપાન્તર સમજાઈ જે પાછો પડતો નથી તેજ ગ્રંથિને પોચી પાડી ગ્રંથિનો ભેદ કરી સમ્યગ્દર્શનને પામે છે. ઉપાદાન તૈયાર થયેલ હોય તો પ્રબળ નિમિત્તને ખેંચાઈને આવવું જ યડે. જેમ ૧૫૦૦ તાપનો માટે શ્રી ગૌતમસ્વામીજીને ખેંચાઈને જવું પડ્યું હતું ! પર્યાયમાં અવનાશી સ્વરૂપ ઝળકે એ સાધના છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy