________________
આનંદઘન પદ ૨૦
·
રાજરાજેશ્વરની રાજછટામાં આત્મખુમારીમાં રાજવું, તે આત્મતેજસ્વીતા એ દશમું અંગાચરણ છે.
૧૩૯
સુંદર કેશકલાપને સુગંધિત તેલથી અર્ચિત કરી ચકચકિત સુંવાળા બનાવી, સંવારી સજાવી અંબોડો વાળી અર્થાત્ કેશગુંફન કરી, એને એકત્રિત વ્યવસ્થિત એકજૂથ રાખી, સુંદર સુગંધિત ફૂલોની વેણી કે ગજરાથી સુશોભિત કરાય છે, એમ ઘ્યાન ગુપ્તિરૂપ વિરતિને નિરત એટલે નિરતિચાર અને નિરંતર અર્થાત્ આંતરું પાડ્યા વિના એના સાતત્યને જાળવવું, તે ધ્યાનની નિરંતરતા, નિરતિચારિતા રૂપ અગિયારમું અંગાચરણ છે.
·
વિરાગતા વીતરાગતાની (૧) સરાગતાની અપ્રીતિ અને વૈરાગ્યતા પ્રીતિથી મનના સ્થિરીકરણરૂપ ચિત્તપ્રસન્નતા (૨) અપ્રશસ્તરાગનું નિવર્તન અને પ્રશસ્ત અનુરાગનું પ્રવર્તન (૩) અનાત્મભાવમાં નિર્લેપતા અને આત્મભાવની તલપરૂપ નિર્વેદ અને સંવેગ (૪) ઉપયોગની તીવ્રતા - તીક્ષ્ણતા
સૂક્ષ્મતાપૂર્વકનું વિનયવિવેક યુકત આચરણ (૫) ભગવદ્ભાવથી આત્માનું પદ્મલેશ્યામાં રંગીકરણ (૬) ગુણના આંજણથી આંજેલી નિર્મળ નિર્વિકારી દૃષ્ટિ (૭) સમત્વ અને સમાધિથી બદ્ધ મન (૮) ધ્યેયના ધ્યાનમાં જ ધબકતું હૃદય (૯) બ્રહ્મ (આત્મ)માં ચર્યા કરતું શીલાચરણ (૧૦) આત્મતેજથી ઝગારા મારતી રાજવી પ્રતિભા (૧૧) ધ્યાન સાધનાની નિરતિચાર સાતત્યતા.
-
આવા અગિયાર અગિયાર અંગોથી કાર્યાન્વિત થયેલ સુમતિનો સાથ હોય ત્યારે ચેતનનું ધ્યાનમાં ચૈતન્યાચરણ થાય એટલે કે ચેતના ચેતનમય બને. એ આધ્યાત્મિક પ્રક્રિયાને, આપણને સહુને જેનો અનાદિનો અભ્યાસ છે, એવી સાંસારિક પ્રક્રિયાથી તાલમેલ કરીને પદના આ બે જ ચરણ દ્વારા સમજાવવાનો યોગ ચમત્કાર કવિહૃદયી યોગીરાજજીએ કર્યો છે.
આવા સુમતિના અગિયાર અંગરૂપ ગુણોને માટે; દશમાં સ્વાધીષ્ઠાન અને અગિયારમાં મુલાધાર ચક્ર જે અઘોચક્ર છે અને ભોગમાં કાર્યાન્વિત કરનાર છે તે બે સિવાયના, પ્રભુજીના નવાંગીપૂજનનું આલંબન લઈને સાલંબન ધ્યાનથી અગિયાર અંગી સુમતિ કાર્યાન્વિત થતાં નિરાલંબ ધ્યાનમાં લીન થવા રૂપ
જગત નથી ફરતું પણ તું ફરે છે. તું અફર અચર થાય તો જગત નિશ્ચલ થાય.