SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આનંદઘન પદ - ૧૯ પદ - ૧૯ (રાગ - વેલાવલ) दुलह नारि तुं बडी बावरी, पिया जागे तुं सोवे । .fપયા થતુર કમ નિષદ કથાની, ન નાનું ચા ઢો? I સુન. ના आनन्दघन पिया दरस पियासे, खोल धुंघट मुख जोवे | दुल. ॥२॥ યોગીરાજજીના પદ એટલે ગાગરમાં (શ્રુતનો) મહાસાગર. થોડામાં ઘણું બધું કહેવાની જાણે અણીમા લબ્ધિ. પરંતુ અહીં આ પદમાં તો બિંદુમાં સિંધુ સમાવી લઈ માત્ર ઈશારાથી જ ઘણું બધું કહી દેવાની આગવી કમાલની યોગલબ્ધિનો પરચો આનંદઘનજી મહારાજાએ બતાડ્યો છે. દુલ્હ નારી તું બડી બાવરી, પિયા જાગે તે સોવે; પિયા ચતુર હમ નિપટ અયાની, ન જાનું કથા હોવે ? દલ..૧. આનન્દઘન પિયા દરસ પિયાસે, ખોલ ઘુંઘટ મુખ જોવે. દુલ...૨. કૃષ્ણઘેલી ભકત કવયિત્રી મીરાંબાઈએ પણ ગાયું છે કે... ઘુંઘટ કે પટ ખોલ, મોહે પિયા મિલનકી આશ... પદનો કેન્દ્રધ્વનિ એ જ છે કે કયારે મારા આ આનંદના અંતરાયો તૂટે, આડશો, પડળો, આવરણો હટે અને સાવરણ એવો હું નિરાવરણ થઈ મારામાં રહેલાં મારાપણા - પરમાત્માસ્વરૂપના દર્શન કરું અર્થાત્ સ્વરૂપવેદન કરું ! આ પદમાં પાત્રો છે. પતિ ચેતન, પત્ની ચેતના, આત્મા અંતરગત અપ્રગટપણે પ્રચ્છન્ન રહેલ પિતા પરમાત્મા અને પાંચ સમિતિથી સંયમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવાં સાધક સાધુ મહાત્માની માતા તે સમતારૂપ અષ્ટપ્રવચન માતા. સંસારીઓના સંસારના સંબંધે મોહ માયા મમતાના સંસારી સગપણોના માયાવી સંબંધો છે. તો બીજી બાજુ અધ્યાત્મક્ષેત્રે સાધકને સાધનાના આત્મિક માત્ર બુદ્ધિથી જીવનારો સંસારગામી છે. હયથી જીવનારો મોક્ષગામી છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy