SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૧૭ ૧૧૯ મારો આ બાળ તો હવે પેટ ઘસડી ઘસડીને લકુટિયાં લઈ ચાલવા - ખસવા શીખી ગયો છે. અરે ! હવે તો ઘૂંટણિયા પણ ભરવા લાગ્યો છે. કિલકિલાટ કરતો આખાય ઘરમાં ઘૂમતો ઘરને પોતાની કિકિયારીઓથી હર્યુંભર્યું જીવંત બનાવી રહ્યો છે. હવે તો એને વિવેકની આંખો ચ ફૂટી છે. સારા-નરસા, હેય-ઉપાદેયની ઓળખ પણ પડવા લાગી છે કે આ ગુપ્તિ સમિતિ અષ્ટ પ્રવચના મારી માતા છે; જ્ઞાનચક્ષુ દેનારા આ દેવ-ગુરૂ મારા પિતા છે, મારી મતિની ગતિ ધર્મમાં છે અને સ્થિતિ આત્મામાં છે, જ્ઞાન મારો આનંદ છે અને પ્રેમથી હું સર્વવ્યાપી છું - સર્વનો દુલારો છું. ચેતન, ચેતનાના આ સદાચાર સંયમરૂપ માનસ સંતાન પ્રતિના કુણા વલણથી મુમતા પોતાનું માથું કુટે છે અને ભાગ્યને રુએ છે કે હવે આ ચેતન તો મારા પાસમાંથી છૂટી રહેલો મારે માટે તો જાણે મરણશય્યા - મરણપથારીએ પડ્યો છે. હવે અમારી કુમતા અને એના સંબંધીઓની અહીં દાળ ગળે એમ નથી. અમારી ભાખરી અહીં શેકાય એમ નથી. હવે આ ચેતન જે સંસારત્યાગી બની સંન્યાસના મોક્ષમાર્ગે જઈ રહેલો, અમો સંસારીઓની સંસારવાસનાને પોષે એમ નથી અર્થાત્ હવે અહીં કોઈ આપણને રોટી દેનાર છે નહિ. અહીં સંસારીઓની સગાઈની સ્વાર્થીuતાનું વલણ વ્યકત થતું દર્શાવાયું છે. ભકિતકવિએ વાસુપૂજય સ્વામીની સ્તવનામાં પણ પ્રાચ્યું છે..... આ સંસાર ઘોર મહોદધિથી, કાઢો અમને બહાર; સ્વારથના સહુ કોઈ સગા છે, માત પિતા પરિવાર; બાળ મિત્ર ઉલ્લાસી, વિજય વિલાસી, અરજી ખાસી, પૂરો અમારી. આશ... સંસારની અસારતા, નશ્વરતા, પરાધીનતાની સમજ નથી એવાં સંસારીઓના સગપણ સ્વાર્થના જ હોય છે. સંસારમાં સંસારીઓનું વલણ ગરજ સરી અને (જીવાડનાર જીવનદાતા એવો) વેદ વેરી જેવું બહુલતાએ હોય છે. કલ્યાણ કુટુંબ અને કલ્યાણમિત્રો મેળવવા ભાગ્યશાળી બનનારા પુણ્યાત્મા બહુ જૂજ હોય છે. પૂ. બુદ્ધિસાગર સૂર્ણીસ્વરજી જરા બીજી રીતે આ ચરણ (કડી) સમજાવતા .. . વીતરાવજ્ઞાન આત્માનો ઉઘાડ કરવા માટે મળેલ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy