________________
આનંદઘન પદ
-
૧૬
૧૬
મારુ)
निशदिन जोउं तारी वाटडी, घेरे आवो रे ढोला ॥
मुज सरीखा तुज लाख है, मेरे तुंही अमोला ॥
जव्हरी मोल करे लालका, मेरा लाल अमोला ॥ ज्याके पटंतर को नही, उसका क्या मोल ॥
પદ
(રાગ
-
w
पय निहारत लोयणें, द्रग लागी अडोला । जोगी सुरत समाधि मैं मुनि ध्यान झकोला ॥
"
कौन सुन किनकूं कहुं, किम मांडु मैं खोला । तेरे मुख दीठे हले, मेरे मनका चौला ॥
'
मित्त विवेक बातें कहै, सुमता सुनि बोला । आनन्दघन प्रभु आवशे, सेजडी रंगरोला ॥
નિશ. II
નિશ. ॥૧॥
નિશ. રા
નિશ. 11311
નિશ. ||૪||
નિશ. IIII
આનંદઘનજી મહારાજાની સુમતા સદ્ગુણોની સેજ સજાવી પ્રભુના આગમનને આવકારવા અધીરી બની છે તેની અધિરાઈ આ પદમાં વ્યક્ત થઈ
છે.
૧૧૧
નિશદિન જોઉ તારી વાટડી, ઘેરે આવો રે ઢોલા નિશ. મુજ સરીખા, તુજ લાખ હૈ, મેરે તુંહી અમોલા. નિશ...૧.
સમતારૂપ ચેતના, એનો સ્વામી ચૈતન્ય દેવ ક્યારે સ્વઘેર પાછો ફરે તેની કાગને ડોળે રાતદિન વાટ (રાહ) જોઈ રહી છે. એનો ઢોલો પ્રિયતમ તો જ્ઞાનરૂપી ઢોલીયા (પલંગ-ખાટલા)માં ધ્યાનરૂપી શૈય્યા (સેજડી) ઉપર પોઢવાને ટેવાયેલો છે, તે સ્વઘેર આવે એની ચિંતા સમતારૂપ ચેતના કરી રહી છે. પર એવાં મોહમાયા મિથ્યાત્વનો અંશ હજી રહી ગયો હોવાથી પ્રિયતમ ચેતન પરઘરથી સ્વઘર હજુ પાછો ફરતો નથી તેને સમતારૂપ ચેતના વિનવણી કરી
૧લું ગુણસ્થાનક એટલે સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વ.