SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ES આનંદઘન પદ - ૧૩ પરસ્ત્રીગમનથી - પરદારાના સેવનનું નરકે લઈ જનારું અધોગતિનું મહાપાપ સેવાય નહિ. એ કાંઈ માત્ર બ્રહ્મચર્યવ્રતના ખંડન રૂપ અબ્રહ્મના સેવનનું જ પાપ નથી પણ એની સાથે સાથે હિસા, ચોરી, જૂઠ અને પરિગ્રહ એમ પાંચે પાંચ વ્રતોનો ભંગ કરનાર મહાપાપ છે. પરંતુ મારો નિષ્ફર એવો નઘરોળ ચેતન સ્વામી (એની) આવી સીધી સાદી વાતને પણ સમજતો નથી અને મારી દશાનો - મારા હૈયાના બળાપાનો પણ હેજે વિચાર કરતો નથી કે હું એ ચેતન રાજાની સતી એવી સમતારૂપ ચેતનારાણી એના હિતની ચિંતાની અગન જવાળામાં બળી રહી છું અને એની પ્રીતના વિયોગના દુ:ખના દહાડાની એક એક પળ મને જાણે છ છ માસના કારમા વિરહકાળ જેવી વીતાવવી આકરી થઈ પડી છે.” આ પદનો બોધ એ છે કે જે મારું (માયા-મમતાદિ) નથી તેને મારું માનવું છોડી દઈ ને મારું છે તેની પિછાન-ઓળખ કરી પરઘર એવાં પરદેશથી સ્વઘર (આત્મા) સ્વદેશમાં પાછા વળી પરસૂર એટલ કે સૂરલોક (દેવલોક)થી પણ ઉપર એવા પરમલોકને આદરીશું તો “My' (મારાપણા - મમતા) કે જે વિનાશી છે તેનાથી છૂટી ' (હું - આત્મા)માં કે જે અવિનાશી છે તેનાથી જોડાઈ શકીશું અને સ્વમાં સમાઈ જઈ સ્વમય - સમય થઈ શકીશું. હકીકતમાં ' એટલે કે ત્રિકાળ શુદ્ધ ચેતન્યમય આત્મા ઓળખાયો ત્યારે કહેવાય કે તેનાથી ભિન્ન જે My' એટલે કે શરીર, ઈન્દ્રિય, વાણી, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ધન, સ્વજન, પરિવાર એ બધું પડછાયાથી જરા પણ અધિક ન લાગે. જન્મજન્માંતરના સંસ્કાર એ બધાંને પડછાયાથી અધિક માનવાના ચાલ્યા આવ્યા છે, જેથી આ ભવમાં પણ હેયે તેની જ કિંમત અધિકાધિક સમજાય છે અને તેથી જ '' એટલે કે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા શ્રદ્ધાનમાં આવતા નથી. '' is to be seperated out from My' with the help of seperater that is "Gyani Guru'. પ્રજ્ઞા વિભાગ ચાલુ થતાં વિજ્ઞાન વિભાગ ખૂલી જાય છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy