SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૧૩ પદ - ૧૩ (રાગ – સારંગ) अनुभव हम तो रावरी दासी ॥अ.।। आइ कहां ते माया ममता, जानुं न कहांकी वासी ॥ अ. ||१|| . रीज परे वाके संग चेतन, तुम क्युं रहत उदासी । बरज्यो न जाय एकांत कंतको, लोकमें होवत हांसी ॥ अ. ||२|| समजत नाहि निठुर पति एती, पल एक जात छमासी । आनन्दघन प्रभु घरकी समता, अटकली और लखासी ॥ अ. ||३|| યોગીરાજજી આ પદમાં જાતને ઠમઠોરી રહ્યાં છે કે તારી પોતાની સમતા રાણીને છોડી પરાયી મમતા દાસીની માયામાં કયાં તું ફસાયો ? અનુભવ હમ તો રાવરી દાસી અનુ. આઈ કહાં તે માયા મમતા, જાનું ન કહાંકી વાસી. અનુ...૧. સમતારૂપી ચેતના પોતાના ચેતન સ્વામીને કહે છે. “હે સ્વામી ! હું તો તમારી વામા - તમારું ડાબું અંગ - તમારી અર્ધાગના - સહધર્મચારિણી છું. તમારા ઘર (આત્મા)ની ગૃહિણી (ઘરને - આત્માને સાચવનારી) સ્વામીની - રાણી તો હું છું. હું તો ચેતનનું ચૈતન્ય તત્ત્વ (અનુભવ) છું. જેવી પૂષ્પની સુવાસ છે તેવી હું ચેતના - સમતા તમારી ચેતનાની સુવાસ છું!” “હું તો આપ ચેતનની આબરૂને વધારનાર આપની જ સુવાસ એવી આપના ચરણોની. દાસી છું. હું કાંઈ રાવ (રાજા)ની રાવપણું - રાજાપણું દાખવવા - રાજઘરાનાના રીતિરીવાજ મુજબ રાખેલી રખાત-રખોપું-ગોલાપું કરનારી રખાત-ગોલણ-દાસી નથી !” રાજઘરાનામાં રાજાના રાજવી ઠાઠમાઠમાં રાજાને રાણી હોય છે તેમ રાજાની અને રાણીની ઉભયની પળેપળ રાતદિવસ સરભરા - દેખરેખ રાખનારી તહેનાતમાં સંસાર એ પારકું ઘર છે, સિદ્ધશિલા સ્વધામ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy