SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૧૨ ઈષ્ટ પુરુષો અને તેઓએ જાગૃત કરેલાં પાંચ જ્ઞાન પ્રત્યેક જીવમાં અજાગૃત - અપ્રગટપણે સત્તામત રહેલાં છે. એ જ્ઞાનપ્રકાશના તેજની છાયા જીવમાં પડી રહી છે. આ પાંચની નીચે (તલે) દુઆ એટલે કે રાગ અને દ્વેષ એ બે દબાયેલાં રહ્યાં છે. અર્થાત્ જો જીવની દષ્ટિ પંચપરમેષ્ઠિ અને પાંચજ્ઞાન તરફ મંડાયેલી રહે છે તો રાગ-વેષ દબાયેલાં રહે છે. જો પાંચ છે તો બે દબાયેલાં રહે છે પરંતુ એકમેવ એક્કા જેવો આત્મા તો અનંતકાળથી છ નિકાય એટલે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયમાં રખડી રહ્યો છે અર્થાત્ છ કાયના કૂટાથી આત્માનો કૂટો થઈ ગયો છે. એકથી સાત અંકના પાનાની વિચારણા કર્યા બાદ હવે શેષ રહેતાં પાનાની વિચારણા કરવામાં આવે છે. બાકી રહેતા છ પાના અકો, નવ્વો, દસ્સો એટલે કે ૮, ૯, ૧૦ અને ગુલામ, રાણી, રાજા છે. ૮+૯+૧૦ એ ત્રણ પાનાનો સરવાળો (૨૭) સત્તાવીસ થાય છે. આ ૨૭નાં આંકમાં ઉપર જે ૨૫નો આંક મેળવ્યો તે ઉમેરી દેતાં (૫૨) બાવનની સંખ્યા આવે છે જે ગંજીફાના કુલા બાવન પાનાને સૂચવે છે. અર્થાત્ દૃષ્ટાંત જે રમત છે તે બાવન પાનાની છે તો દૃષ્ટાંતિકમાં પણ આ રીતે બાવનની સંખ્યા ઘટાવવામાં આવી છે. હવે જો આ દૃષ્ટાંતિકમાં ઘટાડવામાં આવેલ ૨૫ અને ૨૭ મળીને થતાં બાવન (પ૨)ની સામે જો રાગ ને દ્વેષ પરાજિત થાય તો તે બે (રાગ અને દ્વેષ) જીવને શરણે આવ્યા - વશ થયા એમ કહેવાય. આ શરણે આવેલા બેને બાવનમાં ઉમેરતાં (૨૫+૨૭+૨) ચોપ્પન (૫૪)ની સંખ્યા પ્રાપ્ત થાય. હવે જે રાગ-દ્વેશ વશ થયાં છે તે પંચ પરમેષ્ઠિ અને પાંચજ્ઞાનને એટલે કે ૩+૪+૫+૬+૭ એ પાંચ પાનાને કારણે વશ પડ્યા છે. તો એ બેને ઉમેરો એની સાથે કરતાં સંખ્યા ૨૭ની થાય છે જે સંખ્યા શેષ છ પાનામાંની ૮૯+૧૦ એ ત્રણ પાનાના સરવાળાની સંખ્યા બરોબર થાય છે. એટલે કહ્યું કે સબ મિલા હોત બરાબર લેખા. હવે પછીના એટલે કે સાતના આંક પછી અજ્ઞાથી શરૂ કરતાં જે છ પાના બુદ્ધિ જ્યારે અંતરલક્ષી બને તો પ્રજ્ઞા કહેવાય.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy