________________
આનંદઘન પદ - ૧૧
સાધે છે. આત્મલક્ષી ધ્યાનયોગમાં રહેવાથી સમાધિવંત એવાં તેઓને કોઈ ડગાવી શકતુ નથી. પણ અહિંયા આ પદમાં તો મોરપક્ષીના માધ્યમથી અજ્ઞાનતપની વાત ચાલે છે કે સિદ્ધિયોગની સાધના અજ્ઞાની સાધુઓ કરે અને આખરે હલકી યોનિઓને પામે છે.
૭૩
આનંદઘનજી આ પદમાં પોતાના અનુભવયુકત વિચાર જણાવે છે કે મોરના જીવન ઉપરથી વિચાર કરતાં મારા આત્માને બોધ મળ્યો અને યોગના અંગો કેવી રીતે સાધવા તેનો રસ્તો મને મળી ગયો અર્થાત્ મોહ ઉપર કેમ વિજય મેળવવો એ ભેદ મને હાથ ચડી ગયો. મોરની જીવનશૈલી આપણે જોઈ તે પરથી જણાશે કે મોરના જીવનમાં પણ યોગીરાજજીએ પદ છમાં જણાવ્યા મુજબની અષ્ટાંગ યોગની સાધના નીચે મુજબ વણાયેલ છે.
યમ : મોર આજીવન બ્રહ્મચર્ય પાળીને તૃષ્ણા, લાલસા, કામના અને માયારૂપી ઢેલડીઓનો ત્યાગ કરી એકાકી જીવન જીવે છે. ભોગોપભોગના સાધનોનો આજીવન ત્યાગ એ મોરનો યમ છે.
નિયમ : નિજ આરાધનામાં જ સદા તત્પર રહેવું એ મોરનો નિયમ છે. આ નિયમનું પાલન કરવા વડવૃક્ષની ટોચ, પર્વતશિખર કે તીર્થમંદિરના શિખર પર, ધજાદંડની પાટલી પર બિરાજમાન થઈ પોતાની સાધનામાં ડૂબી જાય છે.
આસન : પોતાની સાધનાને યોગ્ય બેઠક ગ્રહણ કરીને મોર ત્યાં પોતાનું સ્થાન ટકાવી રાખે છે. રાત્રિના અતિ વેગથી વાયુ વાતો હોય, મેઘરાજા મન દઈને બારે ખાંગે વરસતા હોય, આકાશમાં વિજળીના કડાકા ભડાકા થતા હોય તો પણ મોર પોતાનું આસન છોડતો નથી. યોગના ૮૪ આસનોમાનું એક અત્યંત મુશ્કેલ આસન ‘મયુરાસન’ તરીકે ઓળખાય છે.
પ્રાણાયામ : મોરનું પ્રાણવાયુનું અંદરમાં લેવું પૂરક છે, સ્થિર રાખવું કુંભક છે અને ડોક મરડીને ગળું નાનું કરી મેઘગર્જના જેવો મધુર ટહૂકાર કરે છે તે રેચક છે.
પ્રત્યાહાર : ઈન્દ્રિયોના અસંયમને રોકવો તે પ્રત્યાહાર છે. જે દિશામાંથી
છૂટે દેહાધ્યાસથી તો મળે મુક્તિ.