SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૧૦ ૬૫ ખણજ ઉપડી હોય અને એ ખણજમાં આંધળોભીંત થઈ સાથળ સુધી કપડાં ખેંચી લઈ જાંઘને વલુરવાનો શુલ્લક ક્ષણિક દુ:ખદાયી આનંદ છે; તેના જેવી જાતને નાગા કરવા જેવી વાત છે. મારા સ્વામી મને - સમતાને છોડી મમતાના ઘરમાં જઈ વસ્યા છે તેથી જાણે હું વિરહભઠ્ઠીમાં શેકાતી હોઉં એમ એમના વિરહની અગનઝાળ (બિરહજારબિરહ-વિરહ જાર-ઝાળ) અહર્નિશ મને સતાવે છે. આટઆટલી સમજાવટ કર્યા પછી, વિનવણી અને મનામણા કર્યા છતાંયા જો અનંત આનંદના ભંડાર એવા મારા સ્વામી ચેતન સ્વ ઘરે નહિ આવે તો હે સખી ! હવે તું જ મને કહે કે એમને પાછા સ્વઘર લાવવા હું શું શું કરું તો તેઓ આવે ? હવે કાંઈ જઈ ઢોલ (હુંડ) વગડાં કે દાંડી પીટું કે જેથી મમતાના ઘરેથી સ્વામી પાછા વળે અને સ્વસ્થાને પધારે. આથી વધુ તો શું કરી શકું ?” આ પદ દ્વારા મહાત્મન આનંદઘનજીનો બોધ એ છે કે... સમતા સમ સ્વભાવી છે અને મમતા વિષમ સ્વભાવી છે. સમતા - સમરૂપતા વીતરાગતા એ આત્મસ્વરૂપ છે જયારે મમતા-રાગ-વિષમતા એ આત્મસ્વરૂપની વિકૃતિ છે. એ વિરૂપ છે. સમતા અને મમતા વચ્ચે વિરુદ્ધતા હોવા છતાં જો આત્મા (ચેતન) પોતાના ધર્મને ન ચૂકે, ઉપયોગને પર ઘરમાં નહિ જવા દેતાં સ્વ આત્મઘરમાંજ ઉપયોગને ધારી રાખે તો આત્મઘરમાંથી અજ્ઞાનરૂપી અંધકાર ઉલેચાય અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય. સમતા અને મમતાની લડાઈ એ બીજું કાંઈ નથી પણ કૃષ્ણ (આત્મા) દ્વારા આત્માને માટે સત-ધર્મી એવાં પાંડવોને અસત-અધર્મી એવાં કૌરવો સામેનું ઘર્મયુદ્ધ છે. war of good against bad-evil. જ્ઞાનમાં શાંતતા, શીતળતા છે. જ્ઞાન આત્માને શાંત બનાવે છે. જ્ઞાન અoiceોની સહાય છે. જ્ઞાળામાં ડૂબવાથી નિશ્ચિતતા, નિર્ભયતા આવે છે. રામ રાગમાં તાવ, ઉકળાટ છે. રાગ ખભાને આકુળવ્યાકુળ કરે છે. રાગને અoiતા દોષોની સહાય છે. રાગમાં ડૂબવાથી ચિંતા, ભય આવે છે. હું પરમાં કાંઈ કરી શકું એમ નથી એ વીતરાગતા છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy