SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૧૦ ૬૧ પદ - ૧૦ (રાગ : ટોડી) परम नरम मति और न आवे मोहन गुन रोहन गति सोहन, मेरी बैरन ऐसे निष्ठुर लिखावे ॥ प. ||१|| चेतन गात मनात न एतें, मूल बसात जगात बढावे ॥ कोउ न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद बनावे ॥ ૫. Iરા जांध उधारो अपनी कहा एते, बिरह जार निस मोही संतावे || एती सुनी आनन्दघन नावत, और कहा कोउ हुंड बजावे | प. ॥३॥ આ પદ દ્વારા આનંદઘનજી મહારાજા સ્વમાં રહેલા સ્વ તત્ત્વ - સત્ત્વને ફોરવવાની અને દુષ્ટતથી દૂર થવાની વાત કરે છે. પરમ નરમ મતિ ઔર ન આવે મોહન ગુન રોહણ ગતિ સોહન, મેરી બૈરન એસે નિષ્ફર લિખાવ ૫.૧. ખરાબ માણસમાં પણ અંદર એક સારું તત્ત્વ રહેલું હોય છે અને તે ખરાબ માણસને ખરાબીના માર્ગે જતાં વારે છે - રોકે છે. અંગ્રેજીમાં જેને જેકિલ અને હાઈડ કહે છે એવી સ્થિતિ પ્રત્યેક વ્યકિતમાં હોય છે. વ્યકિત જ્યાં સુધી સંસારી જીવ છે ત્યાં સુધી તે એકલી સદ્ગુણી કે એકલી દુર્ગણી નથી. સારપ અને ઝાંખપ, સત્ અને અસત, સુરૂપ અને કુરૂપ, સુમતિ અને સમતા તથા કુમતિ અને મમતા અડખેપડખે જ રહેતાં હોય છે અને તેમનામાં ખેંચાતાણી સતત ચાલતી હોય છે. રામ અને રાવણ, યુધિષ્ઠિર અને દુર્યોધન, શ્રીપાળ અને ધવલ પોતામાંજ છૂપાયેલાં પડ્યાં છે. કોઈકવાર સુમતિ સમતા ગુણનું જોર વધુ હોય તો કોઈકવાર કુમતિ મમતા અવગુણ (દોષ)નું જોર વધુ હોય. આ પદમાં યોગીરાજે પરસ્પરથી વિરુદ્ધ એવી સમતા અને મમતાને સંસાર નાટકના પાત્રો બનાવી સંવાદ રચ્યો છે. મમતા એ પ્રકૃતિના ગુણો ધારણ કરે છે જ્યારે સમતા એ આત્માનો સહજ સ્વાભાવિક આત્મિક ગુણ છે, જે બાહ્ય નિમિત્તને આધીન જેની અંદર પૂર્ણ જાગૃતિ છે તે સ્વરૂપે સર્વજ્ઞ અને સ્વભાવે વીતરાગ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy