________________
આનંદઘન પદ - ૯
પ૯
સમતાથી એક થઈશ. ગાંડો મટી શાણો બની રાણો થઈ સ્વ રાજમાં (આત્મામાં) હકુમત સ્થાપીશ.
મમતાદાસી અહિત કરી, હરવિધિ, વિવિધભાંતિ સંતાસિ; આનન્દઘન પ્રભુ વિનતિ માની, ઔર ન હિતુ સમતાસી. નાથ.૩.
જ્યાં સુધી નિજન સુરિજનના મેળાનો જોગ સાંપડશે નહિ ત્યાં સુધી સમરસતારૂપ સમાધિ સમતા આવશે નહિ અને મમતાદાસી નડતર કર્યા વિના રહેશે નહિ. આત્મહિતની શુભક્રિયા રૂપ હર વિધિમાં, હર વિધાનમાં, પ્રત્યેક શુભ ક્રિયામાં આ મમતાદાસી રોડા નાખ્યા કરશે, ડગલે ને પગલે જુદા જુદા પ્રકારે ભ્રમણામાં • ભ્રાંતિમાં નાંખશે અને સંતાપશે - પીડશે. ગૂંચવણમાંથી મુંઝવણમાંથી બહાર નીકળવા જ નહિ દે.
ઘનીભૂત (નક્કર) આનંદના સ્વામી એવાં મારા પ્રભુ ! હે મારા નાથા ચેતન ! સુમતિની સમજણ જે હિતકારી છે તેને ઝીલો. સમતા સિવાય બીજા કશામાં તમારું હિત કે કલ્યાણ નથી. સમતા સરળ છે, ગૂંચ વિનાની, આંટીઓ વિનાની છે અને શુદ્ધ છે. માટે હે ચેતનરાજા! મમત્વની માયા-ભ્રમણા જાળમાંથી મુક્ત થઈ સમતાના સંગમાં, આત્માના રંગમાં સ્વરાજમાં રમો.”
મમતા મોહ ચાંડાલકી બેટી, સમતા સંયમ નૃપ કુંવરીરી; મમતા મુખ દુર્ગધ અસત્ય, સમતા સત્ય સુગંધ ભરીરી; મમતા મેં લતે દિન જાવે, સમતા નહિ કોઉ સાથ લરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતા કે કોઉ નાહિ અરીરી; મમતાકી દુર્મતિ હૈ આલી, કાકીની જાત અનર્થ કરીરી; સમતાકી શુભમતિ હૈ આલી, પર ઉપર ગુણે સમગીરી; મમતા સુત ભયકુલ પંપન, શોગ વિયોગ મહામચ્છરીરી; સમતા સુત હોવેગો કેવલ, રહેગો દિવ્ય નિશાન ઘુરી રી; સમતા મગન રહેગો ચેતન જોએ ધારે શીખ ખરીરી; સુજસ વિલાસ લહેગો તો તું, રહેગો દિવ્ય નિશાન ઘુરીરી.
પરમાં કોઈપણ જાતના ફેરફાર કરવાનો ભાવ ન થાય તે વીતરાગતા છે.