SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ આનંદઘન પદ - ૮ પદ - ૮ (સાખી) आतम अनुभव फूलकी, नवली कोउ रीत ॥ नाक न पकरे वासना, कान ग्रहे न प्रतीत ॥१॥ (૨T : ઘચાથી અથવા સાT) अनुभव नाथकुं क्युं न जगावे, ममता संगसो पाय अजागज, थन तें दूध दुहावे || अ. ॥१॥ मैरे कहेतें खीज न कीजे, तुं ऐसीही सीखावे || बहोत कहेतें भागत ऐसी, अंगुली सरप दीखावे ॥ अ. ॥२॥ औरनके संग राचे चेतन, चेतन आप बतावे ॥ आनंदघनकी सुमति आनंदा, सिद्ध सरुप कहेवे ॥ अ. ||३|| આ પદમાં યોગીરાજજી મમતાનો સંગ ત્યાગી અતીન્દ્રિય આત્માની સુવાસ આત્માનુભૂતિથી લેવા જણાવે છે. સાખી આતમ અનુભવ ફૂલકી, નવલી કોઉ રીત; નાક ન પકરે વાસના, કાન ગ્રહે ન પ્રતીત. કવિરાજે આત્માના અનુભવને ફૂલ એટલે પૂષ્પની ઉપમા આપી છે. પૂષ્પા જેમ સુકોમલ, સુગંધિત, સુંદર અને સુમધુરરસયુકત હોય છે પણ સવારે ખીલીને સાંજે સૂરજ ઢળતા કરમાઈ જનારું અલ્પ જીવી હોય છે, તેમ આત્મા દ્વારા અનુભવાતી આત્મસુવાસ પણ અનેરી હોય છે અને એનો રસાસ્વાદ પણ અજબોગજબ હોય છે. પૂષ્પ જેમ બાગની-વાટિકાની શોભા છે અને બાગને બાગબાગ - મઘમજિત કરે છે તેમ આત્માનુભૂતિ થવી એ પ્રાપ્ત મનુષ્ય જીવનની શાન છે - સાર્થકતા છે. આત્માનુભૂતિથી આત્મપ્રસન્નતા આવે છે અને જીવન કરવામાં ધર્મ નથી પણ થવામાં – હોવામાં ધર્મ છે અર્થાત આત્મામાં સમાવામાં ધર્મ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy