SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૭ ૭. આ બધાં ભૂતડાઓની ભૂતાવળ વળગાડ છિન છિન એટલે કે ક્ષણે ક્ષણે - શ્વાસે શ્વાસે તને આત્માને છળવા એટલે કે છેતરવા માંગે (ચાહે) છે. પરંતુ તું બાવરો (બી) બેબાકળો મૂરખ અજ્ઞાન શિષ્ય (સીસા) આ ભૂતડાઓના ધુતારાના છળકપટને - માયાને સમજતો નથી. શિર પર પંચ વસે પરમેશ્વર, ઘટમેં સૂરછમ બારી; આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધૂકી તારી. અવધૂ.૩. શિર એટલે મસ્તિષ્ક. મસ્તિક એટલે મન જે ઈચ્છા અને વિચારની ગાડી છે. મન તારું દુષિત (મેલું) તો તું દાનવ, મન સુવાસિત તો તું માનવા સાધક અંધકારને રૂંધનાર (ગુરુ) ગુરૂ અને મન અમન તો ગુણાતીત રૂપાતીત એવો શુદ્ધાત્મા દેવાધિદેવ. મન મેલું તો તું અરિહંત નહિ પણ અરિથી હણાયેલો અરિહત. સિદ્ધ નહિ પણ અસિદ્ધ, આચાર્ય નહિ પણ અનાચારી-દુરાચારી, જ્ઞાની નહિ પણ અજ્ઞાની, સાધક સાધુ નહિ પણ બાધક દુર્જન. મન સુવાસિત તો તું ગુણથી ભરેલા ગુણીજન એવો સાધક સાધુ, પઠન પાઠન કરાવનાર જ્ઞાની ઉપાધ્યાય, આચાર સંપન્ન પંચાચાર પાળનાર અને પળાવનાર આચાર્ય અર્થાત્ ગુરૂ શબ્દમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. આત્મામાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે તેથી ગુરૂ કહેવાય છે. અથવા ગુણાતીત અને રૂપાતીત બનાવનાર છે તે ગુર છે. અને મન જો અમન એટલે કે ઈચ્છારહિત વીતરાગ અને વિચારરહિત નિર્વિકલ્પ તો તું દેવાધિદેવ અરિહંત અને સિદ્ધ. * આમ પંચપરમેષ્ઠિ વસાવીએ તો પંચ પરમેષ્ઠિનો વાસ આપણા જ શિર-મસ્તિષ્કમાં છે. પંચ પરમેષ્ઠિને આપણા મનમાં વસાવીએ એટલે કે સ્થાના આપીએ તો આપણું મન પંચ પરમેષ્ઠિથી સુવાસિત થાય અને આપણે સ્વયં પંચ પરમેષ્ઠિ રૂપ સોહિયે. અથવા તો આપણા બ્રહ્મરંધ્રમાં રહેલ આપણું ધ્રુવના તારા જેવું અવિચળા ધ્રુવ શુદ્ધાત્મત્વ જ સ્વયં પરમેષ્ઠિ સ્વરૂપ આપણા શિર ઉપર વાસ કરીને કર્મના ઉદયનો સ્વીકાર આત્મા ઉપરથી અનંતકર્મઠળ નીકળી રહ્યા છે તેની પ્રતીતિ છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy