________________
અમૃતવેલની સઝાય કંઈક સ્થિર થા, શાન્ત થા, મોહના ઉછાળા દૂર કર, સ્થિર થઈને આત્મા તરફ દૃષ્ટિ જોડ, સ્થિર દૃષ્ટિથી આત્મ તત્ત્વની ગવેષણા કર. તેનાથી તારું મૂલભૂત સ્વરૂપ તને સમજાશે અને દેખાશે. જેમ જેમ મોહનો આ નશો દૂર થશે. તેમ તેમ “રૂપ પ્રગટે સહજ આપણું” આપણા આત્માનું પોતાનું સ્વાભાવિક જે શુદ્ધ સ્વરૂપ છે તે પ્રગટ થશે, જેમ દારૂડીયાને દારૂનો નશો ઉતરતો જાય છે તેમ તેમ તે દારૂડીયો. પુરુષ પોતાના મૂળભૂત અસલી સ્વરૂપમાં આવે છે તેમ આ
જીવને પણ મોહનો (રાગાદિ ભાવોનો) નશો ચઢેલો છે. તે નશો દૂર થતાં સાચી દૃષ્ટિ ખુલે છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. સાચું સ્વરૂપ દેખાય છે.
જ્યાં સુધી પરદ્રવ્ય ભળેલું હોય છે ત્યાં સુધી જ વિકારો અને મોહના ઉદયજન્ય તોફાન હોય છે. જેમ માણસને ભૂત વળગેલું હોય છે. તો અસ્તવ્યસ્ત બોલે છે, ધૂળમાં આળોટે છે. કપડાં ફાડે છે તેમ મોહબ્ધ બનેલો આ જીવ જે પોતાનું અસલી સ્વરૂપ છે તે ભૂલી જાય છે અને કર્મકૃત જે સ્વરૂપ છે તેને પોતાનું માની લે છે, તેનો નચાયો નાચે છે. તેનાથી જ દુઃખ-સુખ ઉપજે છે. માટે તે જીવ ! તું કંઈક સમજ. આ સઘળી ય શિખામણ અમૃતની વેલડીની જેમ ઘણી જ મીઠી છે. તેને તું હૃદયથી અવધારણ કર, સત્યવાત સમજી જા. તો જ તારો ઉદ્ધાર થશે. સ્થિર દૃષ્ટિવાળો થા. જ્ઞાનદશા