________________
૬૪
અમૃતવેલની સઝાય જેહ વિઝાયનો ગુણ ભલો, સૂત્ર સઝાય પરિણામ રે સાધુની જેહ વલી સાધુતા, મૂલ ઉત્તર ગુણધામ રે II
ચેતન ! જ્ઞાન અજુવાળીએ ૧૮ ગાથા :- ઉપાધ્યાયજી મહારાજશ્રીનો સૂત્ર ભણાવવાનો તથા સ્વાધ્યાય કરાવવાનો જે પરિણામ છે તે ઉત્તમ ગુણ છે. તેની હું અનુમોદના કરું છું. તથા મૂલગુણો અને ઉત્તરગુણોના ભંડાર એવા સાધુભગવંતોમાં જે જે સાધુતાના ગુણો છે. તેની પણ હું અનુમોદના કરું છું. ૧૮
વિવેચન :- (૪૧) પંચ પરમેષ્ઠીના ચોથા પદે બીરાજમાન શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીના ગુણોની તું અનુમોદના કર. સર્વ નાના-મોટા સાધુસંતોને જે સૂત્રોના પાઠ આપનારા છે તથા સૂત્રોના અર્થો સમજાવનારા છે. જેઓ સૂત્ર તથા અર્થોની સતત વાચના આપે છે, પોતે ભણે છે અને બીજાને ભણાવે છે. જ્ઞાનાભ્યાસમાં લીનતા નામના તેઓના ગુણની તું ભૂરિ ભૂરિ અનુમોદના કર. | સ્વાધ્યાયની સાથે જેઓ તપમાં પણ લીન છે. તપ અને સ્વાધ્યાય ગુણ દ્વારા શિષ્યસમુદાયનાં મન જેઓએ જિતી લીધાં છે, ઉત્તમ કાર્ય વડે જેઓએ નામના મેળવી છે. શિષ્યવર્ગને જેઓએ ઘણો સંતોષ આપ્યો છે. જેઓનું પોતાનું જીવન પણ વિશિષ્ટ સંયમમય છે. જૈનશાસનના જેઓ સીતારા