________________
અમૃતવેલની સઝાય દુષ્કર છે. અને તેમાં પણ જૈન ધર્મ પ્રાપ્ત થવો ઘણો જ મુશ્કેલ છે. માટે તું ચેતી જા. ૧૧૫ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે ! જેહ પરધન હરી હરખિયા, કીધલો કામ ઉન્માદ રે II
ચેતન ! જ્ઞાન અજવાળીએ ૧રા ગાથાર્થ :- ભૂતકાળમાં જે કોઈ મોટી હિંસા કરી હોય, મોટકું જુઠું બોલ્યા હોઈએ, પારકાનાં ધન ચોરીને હરખાયા હોઈએ તથા જે કોઈ કામવાસનાનો ઉન્માદ કર્યો હોય, (તે સઘળાં ય ત્રણે કાલનાં પાપોની હે જીવ ! તું નિંદાગોં કર.) ૧૨ા
વિવેચન - દસમી અગિયારમી ગાથામાં ભૂતકાળમાં ઘણાં ઘણાં પાપો કર્યા હોય તેની નિંદા-ગહ કરવાનું કહ્યું છે. તે કારણે આ બારમી ગાથાથી ક્રમશઃ અઢારે અઢાર પાપસ્થાનકો સમજાવે છે.
' (૧૯) સ્થૂલ પ્રાણાતિપાત - અહીં “આકરી” શબ્દનો અર્થ “મોટી હિંસા” એવો કરવો. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીનું જીવન નાના-મોટા સૂક્ષ્મ-બાદર કોઈ જીવને ન મારવાનું છે અને શ્રાવક-શ્રાવિકાનું જીવન ત્રસ જીવોને ન હણવાવાળું છે. સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ ગૃહસ્થ જીવનમાં શક્ય નથી.