SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અમૃતવેલની સજઝાય લયલીન બનવું, તેવા ભોગોનો ત્યાગ ન કરતાં વધારે ને વધારે તેમાં આસક્ત બનવું તે અવિરતિ નામનું પાપ. પ્રમાદ - આળસ, ઊંઘ, પારકાની નિંદા, વિષયોનો અતિશય રાગ, આ સઘળો ય પ્રમાદ કહેવાય છે. દેશકથા, સ્ત્રીકથા, રાજ્યકથા અને ભક્તકથા (ભોજનની વાત) આ બધી કથાઓ રાગ-દ્વેષ અને વિકારોને વધારનારી છે. તેથી સર્વે વિકથા કહેવાય છે. તેવા પ્રકારની વિકથાઓમાં જ જીવન બરબાદ કરવું આ સઘળો ય પ્રમાદ નામનું પાપ. કષાય - જેનાથી સંસાર વધે, જન્મ-મરણની પરંપરા વધે, ભવોની પરંપરા વધે તે કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો તે ચંડાળ ચોકડી જેવા ભયંકર છે. ક્લેશ, કડવાશ, વેરઝેર અને વૈમનસ્ય વધારનારા છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન દ્વારા માનવજીવનને બરબાદ કરનારા આ કષાય છે. દૂરથી જ તિલાંજલિ આપવા જેવું આ કષાય નામનું પાપ છે. યોગ - મન, વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ, તેમાં શુભપ્રવૃત્તિ તે પુણ્યબંધનો હેતુ છે અને અશુભ પ્રવૃત્તિ તે પાપબંધનો હેતુ છે. આ પાંચે દોષો કે જેમાં મિથ્યાત્વ એ રાજા છે તેનાથી બંધાયેલાં પાપો ઘણો સંસાર વધારનારાં છે, સંસારમાં રખડાવનારાં છે. માટે આ ભવમાં કે પૂર્વભવમાં જે
SR No.006023
Book TitleAmrutvelni Sazzay
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2010
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy