________________
૩૪
અમૃતવેલની સઝાય વાત તો કરવાની જ ક્યાં રહી? આમ આ બાર ભાવનાઓનું ચિંતન કર, ભાવનાઓનું ચિંતન-મનન કરવાથી હૃદય શુદ્ધ થાય, હૃદયમાં વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય, ભાવનાઓના ચિંતનમનનથી આ જીવ ઉત્તમ વિચારોમાં જ રહે, અશુભ વિચારો દૂર થાય.
આ પ્રમાણે ચાર શરણ સ્વીકારવાનું પ્રથમ કાર્ય આ ગાથાઓમાં સમજાવ્યું છે. આ વિષય વધારે જાણવો હોય તો પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના હસ્તદીક્ષિત એવા શ્રી વીરભદ્રગણિના બનાવેલા ચઉસરણપયના નામના ગ્રંથનો. અભ્યાસ કરવો. દુષ્કૃતગહ નામનું બીજુ કર્તવ્ય :
(૧૬) તથા હે જીવ ! દૂરિત સવિ આપણાં નિંદીએ, આપણા આત્માએ ભૂતકાળમાં જે જે પાપો કર્યા છે તેની તું આત્મસાક્ષીએ અને પ્રભુસાક્ષીએ નિંદા કર, પશ્ચાત્તાપ કર, પોતાની કરેલી ભૂલોને તું સમજ અને સ્વીકાર કર. તે સમજીને જીવનમાં સુધારો કર. આપણાં જ કરેલાં પાપોની સતત નિંદાગહ કરવાથી ફરીથી તેવાં પાપો કરવાનું મન ન થાય, તેવાં પાપોથી વિરામ કરવાનું મન થાય, વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય, સંસારનો રાગ મોળો પડતો જાય. હે જીવ ! તે ક્યાં ક્યાં અને કેવાં કેવાં દૂષિતો કર્યાં છે? તે તો તું જ જાણે છે, તારા