________________
અમૃતવેલની સઝાય
વિવેચન :- પ્રથમ અરિહંત પરમાત્માનું શરણ સ્વીકાર્યા પછી હવે બીજા પદે શ્રી સિદ્ધ ભગવંતનું શરણ સ્વીકારવું તે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરે છે.
(૧૩) સિદ્ધ પરમાત્માનું શરણ સ્વીકાર - સર્વે પણ કર્મોનો ક્ષય કરીને શુદ્ધ બુદ્ધ નિરંજન જેઓ થયા છે, શરીરનો ત્યાગ કરીને બે તૃતીયાંશ અવગાહનાવાળા થઈને મુક્તિમાં જેઓ ગયા છે તેઓનું શરણ હે જીવ! તું સ્વીકાર.
ચૌદ રાજલોકાત્મક જે આ લોકાકાશ છે તેના સૌથી અગ્રિમ ભાગમાં જેઓ વસે છે. કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરીને પોતાનું માનવભવનું શેષ આયુષ્ય તેરમા સયોગી ગુણઠાણે પસાર કરીને કેવલી સમુઘાત (કરવા યોગ્ય હોય તો) કરીને તેરમાના અંતે મન-વચન-કાયાના યોગનો નિરોધ કરે છે. તે વખતે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત એવો આ આત્મા લંબાઈ આદિમાં પોલાણ પુરાવાથી સંકોચાય છે અને સ્વદેહથી બે તૃતીયાંશ અવગાહના વાળા બને છે. ત્યારબાદ અયોગી થયા છતા સર્વથા આશ્રવ અટકી જવાથી સર્વસંવરભાવ પામ્યા છતા મેરૂપર્વત જેવા સ્થિર થઈ જવાથી શેલેશીકરણવાળી અવસ્થાને પામ્યા છતા ચૌદમા ગુણસ્થાનકનો કાલ સમાપ્ત કરીને પોતાના દેહનો ત્યાગ કરીને એક જ સમયની સમશ્રેણીથી બીજા આકાશપ્રદેશને સ્પર્યા વિના ઉર્ધ્વગતિએ