________________
૧
૮
અમૃતવેલની સઝાય ત્રીજા ગઢમાં માનવ અને દેવોનાં વાહનો પાર્ક કરવામાં આવે છે. આવા પ્રકારની પાર્કીગની પણ વ્યવસ્થા છે. જેનાથી કોઈ જીવોને આવવા-જવામાં હરકત ન પડે. આ વાણી સાંભળવા એવો માનવ મહેરામણ ઉભરાય છે કે ચારે તરફ માનવો, દેવો અને પશુ-પક્ષીઓ જ દેખાય, વિશાલ સંખ્યા હોવા છતાં કોલાહલ નહીં, પડાપડી નહીં, શાન્ત મુદ્રાએ બધા જ સાંભળતા જ રહે અને સમજતા જ રહે તેવો અદ્ભુત અને અવર્ણનીય માહોલ હોય છે.
ભગવાનની વાણી સાંભળીને કોઈ કોઈ જીવો જુદા જુદા વિષય ઉપર અથવા પોતાના જીવન વિષેના મુંઝવતા કેટલાક વિષયના પ્રશ્નો પણ પુછે છે પણ તેના શાન્ત અને ગંભીર વાણીથી એવા સુંદર ઉત્તરો પરમાત્મા આપે છે કે જેનાથી તેઓના પ્રશ્નો જ દૂર થઈ જાય. અને પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ વાળા બની જાય. આમ ભવ્ય જીવોના સંદેહોને ભાંગનારા આ પરમાત્મા હોય છે. કદાચ કોઈક જીવ પ્રશ્ન ન પુછે તો પણ તેની ભવિતવ્યતા પાકી હોય તો પરમાત્મા પોતે જ તેના હૃદયગત સંદેહ જાણીને પ્રત્યુત્તર ચાલુ કરે છે, જેમકે ઈન્દ્રભૂતિ-અગ્નિભૂતિ વગેરેના પ્રશ્નો પરમાત્મા શ્રી મહાવીરપ્રભુજીએ પ્રગટ કર્યા અને ઉત્તરો આપ્યા હતા.
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના ૧૧ ગણધરો થયા.