________________
અમૃતવેલની સજ્ઝાય
૧૦૩
સમજાવશે તે સારા યશની રેલંછેલને પામશે. તેઓની ઈચ્છા ન હોય તો પણ તેઓનો યશ ચારે તરફ અવશ્ય વિસ્તાર પામશે. સાચું કહેનારા, સાચું સમજાવનારા અને હૃદયમાં લાગણી રાખીને હિતશિક્ષા આપનારા મહાત્માઓનો યશ તેઓની ઈચ્છા ન હોય તો પણ સામાન્ય લોકો ગાયા વિના રહેતા જ નથી.
તથા આ ગાથામાં “સુયશ” શબ્દ લખીને ગર્ભિત રીતે સજ્ઝાય બનાવનારાએ પોતાનું નામ પણ ઉદ્ઘોષિત કર્યું છે. આ પ્રમાણે આ સજ્ઝાયના અર્થ અહી સમાપ્ત થાય છે.
અમૃતવેલની સજ્ઝાયના અર્થ સમાપ્ત