________________
૧૦૨
અમૃતવેલની સક્ઝાય પાટ પરંપરામાં પૂજ્ય શ્રી નવિજયજી મહારાજશ્રી થયા. તેઓની પાટપરંપરા સામાન્યથી આ પ્રમાણે હતી.
શ્રી હીરવિજયસૂરીશ્વરજી
આચાર્ય વિજયસેનસૂરીશ્વરજી ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી
આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી ઉપાધ્યાય શ્રી લાભવિજયજી
આચાર્ય વિજયસિંહસૂરીશ્વરજી
શ્રી જિતવિજયજી
શ્રી નવિજયજી
ઉ. શ્રી યશોવિજયજી
શ્રી નવિજયજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ અમૃતવેલની સઝાયની રચના કરી છે. દરેક ગાથાઓમાં જાણે અમૃતની વેલડીનો રસ જ કરતો હોય એવી મીઠાશ છે. હિતશિક્ષાની આ વેલડી છે. તેથી જ આ સઝાયનું નામ પણ તેને અનુસારે જ રાખ્યું છે. જે જે મનુષ્યો આ સજઝાયને કંઠસ્થ કરશે, વારંવાર પોતે ગાશે, સભા સમક્ષ ગાશે, તેના અર્થો હૃદયમાં ઉતારશે અને બીજાને પણ