________________
તેમને ભોજન આપીએ. ના, તેમાં લોકોનો વાંક નહોતો. તેમણે પોતે જ બળદીયાને ખાવામાં અંતરાય કરવારૂપ પાપોપદેશ વડે જે અનર્થદંડ સેવ્યો હતો, તેનાથી જે પાપ બંધાયું હતું, તેનો આ વાંક હતો.
પોતે જે પાપ કરવાની જરુર ન હોય, જે પાપ બીજા પાસે કરાવવું પણ પોતાના માટે જરૂરી ન હોય તેવા પાપનો ઉપદેશ ન આપવાનું દરેકે નક્કી કરવું જોઈએ.
પોતાના દીકરા - દીકરીઓના લગ્ન કરાવવાની સામાજિક જવાબદારી મા - બાપના શિરે છે, પણ લોકોના દીકરા -દીકરીઓને પરણાવવાની જવાબદારી તેમના માથે થોડી છે? છતાં તેમાં પણ વગર કારણે માથું મરાતું હોય તો તે શું કહેવાય?
અરે ! આપણા ત્યાં તો ત્યાં સુધીની વાત છે કે પોતાના દીકરા - દીકરીઓને પરણાવવાની જવાબદારી લેવા બીજું કોઈ તૈયાર હોય તો મા – બાપ પણ પોતાના દીકરા -દીકરીઓને પરણાવવામાં માથું ન મારે. કોઈ જવાબદારી લેવા તૈયાર ન જ હોય તો તે દીકરા-દીકરીઓ સ્વચ્છંદી-દુરાચારી ન બની જાય તે માટે પોતે પરણાવે; પણ તે ય દુ:ખાતા દીલે છૂટકો નથી માટે.
શ્રી કૃષ્ણ અને ચેડા રાજા તો પોતાના સંતાનોને પરણાવવામાં પણ ભાગ લેતા નહોતા. તેમણે તે જવાબદારી બીજાના માથે સોંપી દીધી હતી.
(૩) હિંસાદિમાં ઉપયોગી સાધનો આપવા વિશેષ કારણ ન હોય તો પોતાના સુડી, ચપ્પ, કાતર, સોય વગેરે હિંસક સાધનો બીજાને આપવા ન જોઈએ. તેઓ તેના દ્વારા હિંસક કાર્યો કરશે. તે જ રીતે તલવાર, ભાલા, બરછી, તીર, કામઠાં, બંદુક, રીવોલ્વર, લાકડી વગેરે શસ્ત્રો પણ બીજાને ન આપવા. દાંતરડું, કરવત, છરી, રંધો, કોદાળી, કોસ વગેરે પણ હિંસક સાધનો છે. તે પણ ખાસ કારણ સિવાય બીજાને આપવા નહિ.
આ બધા સાધનોનો પોતાના માટે પણ ઉપયોગ કરવો ન જોઈએ; પણ ગૃહસ્થજીવનની ઘણી જવાબદારીઓ હોવાથી કદાચ પોતાના માટે કરે તો અર્થદંડ ગણાય; પણ વગર કારણે બીજા માટે કરે તો ? જરુર વિના કરાયો હોવાથી તે અનર્થદંડ ગણાય.
પોતાના ગાડી, સ્કુટર, સાયકલ, ગાડુ વગેરે વાહનો આપવા, ઘંટી - સાંબેલું - ખાંયણી – મીક્ષર - કસર - વોશીંગ મશીન - વગેરે પાપકારી સામગ્રીને બીજાને આપવી તે પણ અનર્થદંડ છે.
(૩) પ્રમાદાચરણ : પાંચ પ્રકારના પ્રમાદ છે. તેમાંના કોઈ પણ પ્રમાદનું આચરણ ન કરવું જોઈએ. પ્રમાદ પોતે જ મોત છે. તેના દ્વારા પુષ્કળ કર્મબંધ થાય છે. કી
૯૨ કિ વ્રત ધારીયે ગુરુ સાબ-ભાગ- ૨ ફ