________________
કરવું? અવસર આવે તો મારી નાંખવામાં પણ પાછી પાની નહિ કરવી વગેરે વિચારો કરવા તે તેયાનુબંધી રૌદ્રધ્યાન છે.
ટૂંકમાં બીજાનું દ્રવ્ય કે અન્ય વસ્તુઓ માલિકની રજા વિના પચાવી પાડવા જાત જાતના પેંતરા રચવાની સતત જે વિચારણા ચાલ્યા કરે તે બધી તેયાનુબંધી રૌદ્રધ્યાન ગણાય.
(૪) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન પોતાના દ્રવ્યાદિની રક્ષા માટે સર્વત્ર શંકાશીલ બનીને શત્રુ વગેરેને મારવા સુધીની વિચારણાઓ કરવી તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. મારું ધન ઓછું ન થવું જોઈએ. કોઈ પડાવી લેવું ન જોઈએ, તેવી વિચારણા તે જ રીતે જો કોઈએ પોતાનું ધન પચાવી લીધું હોય તો તે ધન તેની પાસેથી પાછું શી રીતે મેળવી લેવું ? તેની કુરતાયુક્ત વિચારણા વગેરેનો સમાવેશ આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનમાં થાય છે.
ધ્યાનશતક ગ્રંથમાં જણાવ્યું છે કે “કરવું, કરાવવું, અનુમોદવું અને તે સંબંધમાં વારંવાર ચિંતા કરવી; એમ ચાર પ્રકારે પણ રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાન જો કે આત્માના અધ્યવસાય (પરિણામ) રુપ છે, છતાં તેને જાણવાના ચાર બાહ્ય લક્ષણો છે. (૧) હિંસા - જૂઠ - ચોરી - સંરક્ષણ (પરિગ્રહ); એ ચારે બાબતમાં એકવાર આદર કરવો તે. (૨) તે ચારેમાં વારંવાર આદર-પ્રવૃત્તિ કરવી તે. (૩) કુશાસ્ત્રો સાંભળીને કે પોતાના અજ્ઞાનથી હિંસાત્મક (યજ્ઞાદિ) ક્રિયાકાંડમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી તે. (૪) કાલસીરિક કસાઈ વગેરેની જેમ જીવનકાળ દરમિયાન હિંસાદિથી નિવૃત્ત ન થવું તે.
રૌદ્રધ્યાનના આ લક્ષણો ઉપર વિચાર કરતાં જણાશે કે લગભગ ચોવીસ કલાક ચાલતી પૈસાની લેગ્યાનો સમાવેશ પણ આ રૌદ્રધ્યાનમાં થાય છે. “હાય પૈસો ! હાય પૈસો !” સતત ચાલ્યા કરે છે, તે ખૂબ જ નુકશાનકારક છે.
પણ કોણ જાણે ગમે તે કારણ હોય, નાનાથી મોટામાં, પુરુષ હોય કે સ્ત્રી હોય તેનામાં પૈસા મેળવવાની તથા તેનો સંગ્રહ કરવાની લગન દિન-પ્રતિદિન વધતી જતી દેખાય છે. તેની વિચારણા સતત ચાલતી જણાય છે. આના પરિણામ સારા નથી, ઠેઠ નરકગતિ સુધી મોકલી દેવાની તાકાત આ ધનની લેગ્યામાં છે.
કામવાસનાદિમાં ક્યાંક અટકાય છે. ક્યારેક અટકાય છે. જ્યારે ધનની લેશ્યામાં માનવ પ્રાયઃ ક્યાં ય અટકવા ક્યારે ય તૈયાર થતો દેખાતો નથી. સૌનો આ અનુભવ જણાવે છે કે કામવાસનાદિ કરતાં ય ધનની લેશ્યા કેટલી બધી ભયાનક છે!
કામવાસનાદિમાં સામેની વ્યક્તિ અનુકૂળ ન હોય તો અટકી જવાય. તે સ્થાને *
૮૭ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ તા.