SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જાણીને આર્તધ્યાન ન કરવાનો આજે જ સંલ્પ કરવો જોઈએ. તે માટે સતત ધર્મધ્યાનમાં લીન રહેવું જોઈએ. રૌદ્રધ્યાન ઃ રૌદ્ર એટલે ભયંકર. આ અપધ્યાત આર્તધ્યાન કરતાં વધારે ક્રૂર અધ્યવસાયવાળું છે. આ ધ્યાનથી નરકગતિમાં જવાની તૈયારી થાય છે. આ ધ્યાનમાં આત્માના પરિણામ દીન નથી બનતા પણ કઠોર બને છે. નિષ્ઠુરતા પેદા થાય છે. નિર્દયપરિણામ પુષ્ટ થાય છે. આ રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે. (૧) હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન ઃ જીવોની હિંસા કરવાની ઈચ્છાથી માંડીને તેને ખતમ કરવા માટેની જાત જાતના વિચારોની પરંપરા ચલાવવી તે. ‘‘આ મારો દુશ્મન છે, તેને તો ખતમ જ કરવો જોઈએ. તે શું સમજે છે તેના મનમાં ? હું છોડીશ નહિ તેને ! બરોબર બતાડી દઈશ. તેના રાઈ રાઈ જેટલા ટૂકડા કરી દઈશ. તે તો તે જ દાવનો છે. તે માટે ગુંડાને રોકીશ. તે તેને આમ કરશે. તેમ કરશે...” વગેરે હિંસક વિચારણાઓ મનમાં સતત કર્યાં કરવી તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. જીવોને મારવા, બાંધવા, વીંધવા, પૂરવા, ઘાત કરવો, તલવાર ભાલા - શક્તિ – મુદ્ગર વગેરે શસ્રો દ્વારા, વીર - ભૂત – પિશાચ – વગેરે દ્વારા, મેલી વિદ્યાના ઉચ્ચાટન વગેરે પ્રયોગો કરવા દ્વારા કે મંત્ર - તંત્ર - યંત્ર - વિષપ્રયોગ વગેરેથી મનુષ્યાદિને મારી નાંખવાનું ક્રોધવશ વિચારવું તે પણ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. ટૂંકમાં બીજા જીવોને ખતમ કરવા માટે સતત ચાલતી ક્રુરતાભરી વિચારણાને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. - (૨) મૃષાનુબંધી રૌદ્રધ્યાન ઃ બીજાને મોટું નુકશાન થાય તેવું જૂઠ બોલવાની વિચારણા કરવી, તે જૂઠનો કોઈ પ્રતિકાર કરે તો તેના બચાવમાં બીજા કયા કયા જૂઠાણાઓ રજૂ કરવા ? શી રીતે સામેવાળાને ચૂપ કરીને, જૂઠ દ્વારા પોતાનું કાર્ય સાધી લેવું તેની સતત વિચારણાઓ કરવી તે કૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. ચાડી ખાવી, અઘટતુ વચન કે ખરાબ ગાળ વગેરે દેવી, પોતાની બડાઈ હાંકવી કે બીજાના દોષો, ઉઘાડા પાડવા, પોતાના પક્ષનો વિજય જાણીને સામાપક્ષ માટે વિચારવું કે સારું થયું, તેઓ તે જ લાગના હતા વગેરે - આવું બધુ વારંવાર બોલવું કે વિચારવું તે રૌદ્રધ્યાન છે. (૩) સ્નેયાનુબંધી રૌદ્રધ્યાન ઃ સ્તેય = ચોરી. ચોરી સંબંધિત ક્રુરતાભર્યું ચિંતન કરવું તે. ધનના સ્વામી પાસેથી ધન વગેરે મેળવવા કયા કયા ઉપાયો અજમાવવા ? તે ઉપાયો પકડાઈ જતાં ફસાઈ ન જવાય તે માટે શું કરવું ? તેમાં વચ્ચે આવનારને શું ૮૬ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy