________________
ગોળની કાચી વિગઈનો ત્યાગ કરનાર ચૂલે ચડાવ્યા વિનાના કાચા ગોળનો ઉપયોગ કરી શકે નહિ પણ જો ગોળનો મૂળથી (પાકી વિગઈ રૂપે) ત્યાગ કર્યો હોય તો ગોળ કે ગોળની કોઈપણ બનાવટ વાપરી શકાય નહિ.
કાચી કડા વિગઈનો ત્યાગ કર્યો હોય તો ઘી કે તેલમાં ત્રણ ઘાણ સુધી તળેલી વસ્તુઓ વાપરી ન શકાય પણ તે સિવાયનું વાપરી શકાય, પરંતુ જો પાકી કડાવિગઈનો ત્યાગ હોય તો ત્રણ ઘાણ પછીના ઘાણમાં તળેલ વસ્તુઓ, પોતું દઈને કરેલ ઢેબરા વગેરે, ઘીમાં આટો શેકી બનાવેલો શીરો, મોહનથાળ, મૈસુર વગેરે પણ વાપરી શકાય નહિ. આ બધી વસ્તુઓ કાચી કડા વિગઈના ત્યાગવાળા વાપરી શકતા હતા.
આ છએ ભક્ષ્ય વિગઈમાંથી અનુકૂળતા પ્રમાણે બને તેટલી વધારે કાચી - પાકી વિગઈનો રોજ ત્યાગ કરવો જોઈએ.
(૪) વાણહ : વાણહ = ઉપાનહ = પગરખાં = પગમાં પહેરવાના બુટ, મોજાં, સ્લીપર, સેન્ડલ, ચંપલ, મોજડી, પાવડી - પાદુકા વગેરે. આખા દિવસમાં આ બધા પગરખાંની જોડમાંથી અમુક સંખ્યા કરતાં વધારે જોડ નહિ વાપરું, એ પ્રમાણે નિયમ લેવાનો હોય છે. એકની એક જોડ ગમે તેટલી વાર ઉપયોગમાં લેવામાં આવે તો પણ તે એક ગણાય. બીજાના ચંપલ વગેરે ભૂલમાં પણ ન પહેરી જવાય, તેની કાળજી લેવી. નવા પગરખાં ખરીદવાના હોય તો તેની પસંદગી કરવા અનેક જોડ પહેરવાની શક્યતા જે દિવસે હોય તે દિવસે તે પ્રમાણે સંખ્યા ધારવી, જેથી લીધેલા નિયમનો ભંગ થવાની શક્યા ન રહે. ' ') તંબોળઃ તંબોળ એટલે મુખવાસ. વરીયાળી, ધાણાની દાળ, સોપારી, "ીન વગેરેનો તંબોળમાં સમાવેશ થાય. ખાધા પછી ઈલાયચી, લવીંગ, તજ, સવા, ચૂરણની ગોળીઓ વગેરે જે કોઈ ચીજનો મુખવાસ તરીકે ઉપયોગ કરાય તે બધા તંબોળમાં ગણાય..
આખા દિવસમાં વરિયાળી વગેરે મુખવાસ અમુક ગ્રામ વજનથી વધારે નહિ વાપરું, પાન વગેરે અમુક સંખ્યાથી વધારે નહિ વાપરું; તેવો નિયમ ધારવો જોઈએ.
(૬) વસ્ત્ર : પહેરવાના ઉપયોગમાં આવતા તમામ વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. ટુવાલ, નેપકીન, રૂમાલ વગેરેની સંખ્યા પણ ગણવી. એકનું એક વસ્ત્ર ગમે તેટલી વાર ઉપયોગમાં લેવાય તો પણ તે એક જ સમજવું. આખા દિવસમાં અમુક સંખ્યાથી વધારે વસ્ત્રો નહિ વાપરું, તેવો નિયમ ધારવો જોઈએ. (૭) કુસુમઃ કુસુમ એટલે સુગંધી પદાર્થો. ફૂલ, ફૂલની માળા, વેણી, અત્તર,
૬૪ % વત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ -