________________
સદંતર ત્યાગ જ કરવો જોઈએ.
છાશથી છૂટું પડતાંની સાથે જ માખણમાં પુષ્કળ જીવો પેદા થઈ જાય છે. માટે માખણનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. ડેરીમાંથી આવતું માખણ (બટર) ઘણા દિવસોનું વાસી હોય છે, તેમાં પુષ્કળ જીવો ખદબદતા હોય છે. તેથી સેન્ડવીચ વગેરેમાં પણ ચોપડાતું બટર ત્યાજ્ય છે. માખણ વિકારો પણ પેદા કરે છે. તેનો કાયમ માટે ત્યાગ કરી લેવો જરૂરી છે.
માંસ અને મદિરા (દારૂ) પણ મહાવિગઈ છે. તેમાં પણ પુષ્કળ જીવો પેદા થાય છે. વળી સામાજિક દૃષ્ટિએ પણ તેના નુકશાનો ઘણા છે. આ ચારે મહાવિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ.
છ ભક્ષ્ય વિગઈઃ (૧) દૂધ, (૨) દહીં (૩) ઘી (૪) તેલ (૫) ગળપણ અને (૬) કડા (ઘી- તેલમાં શેકેલું - તળેલું વગેરે.) જો કે આ છ વિગઈઓ ભક્ષ્ય છે. અચિત્ત છે તેમાં જીવોત્પત્તિ નથી. પણ તેમાં વિકારો પેદા કરવાની તાકાત છે. તેથી આ ભક્ષ્ય વિગઈઓનો પણ જો શક્ય હોય તો સંપૂર્ણ ત્યાગ કરીને આયંબીલ - નવી આદિ તપ કરી શકાય. - પણ જો છ એ વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકાય તો રોજ યથાશક્તિ ૫, ૪, ૩, ૨ કે ૧ વિગઈનો ત્યાગ કરવો જોઈએ.
આ વિગઈ અંગેનો નિયમ બે રીતે ધારી શકાય છે. પાકી (મૂળથી) વિગઈનો ત્યાગ અને કાચી વિગઈનો ત્યાગ.
દૂધની કાચી વિગઈનો ત્યાગ કરનાર ઠંડુ કે ગરમ દૂધ ન વાપરી શકે પણ દૂધના રૂપાંતરને વાપરી શકે એટલે કે દૂધમાંથી બનેલી ચા, કોફી, દૂધપાક, ખીર, માવો વગેરે વાપરી શકે; પરંતુ જો દૂધની પાકવિગઈનો ત્યાગ કર્યો હોય તો દૂધ કે દૂધના કોઈપણ રૂપાન્તરો પણ લઈ શકાય નહિ.
તે જ રીતે કાચી દહીં વિગઈનો ત્યાગ કરનાર દહીં - છાશ ન વાપરી શકે પણ દહીંના રૂપાંતરો કઢી, વડાં, શિખંડ, રાયતું વગેરે વાપરી શકે. જ્યારે પાકી દહીં વિગઈનો પણ ત્યાગ કર્યો હોય તો દહીં, છાશ કે તેમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓ પણ વાપરી શકાય નહિ.
ઘી - તેલની કાચી વિગઈનો ત્યાગ હોય તો રોટલી - ઢોકળા વગેરે ઉપર ઘી - તેલ ન લેવાય. પણ ઘી-તેલનો ઉપયોગ કરીને બનાવેલી વસ્તુઓ વાપરી શકાય; પણ ઘી - તેલની પાકી વિગઈનો ત્યાગ હોય તો ઘી - તેલ કે ઘી - તેલમાંથી બનાવેલી વસ્તુઓ પણ વાપરી શકાય નહિ.
a ૬૩ : વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ - ૨