SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા નેમિનાથ ભગવાનના સૂચન મુજબ બધા નગરવાસીઓ આયંબીલના તપ તથા લોગસ્સનો કાઉસ્સગ્નમાં લીન બન્યા. પરિણામે તે દેવ દ્વારિકાનગરીને બાળી શકતો નહોતો. પણ ૧૨ વર્ષ બાદ, પ્રજાને એમ લાગ્યું કે હવે તો તે દેવ થાકીને જતો રહ્યો હશે. બહુ તપ - જપ કર્યા હવે શું જરૂર છે? કોઈ લૌકિકપર્વ પ્રસંગે આયંબિલતપ બંધ થયો. રાહ જોઈને રહેલા દ્વૈપાયને તરત જ તે તક ઝડપી લીધી. સમગ્ર દ્વારિકા નગરીને તથા તેના નગરજનોને બાળી નાંખ્યા. શ્રીકૃષ્ણ – બલરામને બચાવી લીધા. આ રીતે દારુએ સમગ્ર દ્વારિકાનગરીનો અને યાદવોના વંશનો નિર્ણાયક સંહાર કર્યો, તે જાણીને સત્વરે દારુનો કાયમ માટે ત્યાગ કરી દેવો જોઈએ. (૭) માંસઃ કાચા માંસ, પફવ માંસ, રંધાતા માંસ અને તેની પેશીઓમાં તેના જેવા વર્ણવાળા નીગોદીયા (લીલ-ફુગ આશ્રી) અનંતા જીવો નિરંતર ઉત્પન્ન થાય છે, તેવું માંસ કદી ખવાય નહિ. પંચેન્દ્રિય જીવોના વધથી થયેલું, દુગંધમય, સૂગ કરાવે તેવું અને અપવિત્ર હોવાથી માંસ ખવાય નહિ. આવું માંસ ખાનારો રાક્ષસ સમાન જણાય છે. માંસભક્ષણ રૂપી રાક્ષસકાર્ય આલોકમાં રોગનું અને પરલોકમાં દુર્ગતિનું મૂળ છે. જે માણસ સેંકડો કરમીયાથી વ્યાપ્ત પરુ - લોહી – ચરબી વગેરેથી મિશ્રિત માંસને ખાય છે તે પુરુષને કૂતરા કરતાં સારો શી રીતે ગણી શકાય? (૮) મધઃ અનેક જીવોના નાશથી ઉત્પન્ન થયેલું, જુગુપ્સનીય, જોવું પણ ન ગમે તેવું, અનેક જીવોનાં મોઢાના થુંક રૂપ મધને ખાવાની ઈચ્છા પણ શી રીતે કરાય? પુરાણમાં તો કહ્યું છે કે, “સાત ગામ બાળવાથી જે પાપ લાગે તે પાપ મધનું એક ટીપું ખાવાથી લાગે છે.” દવાની સાથે પણ મધ ન લેવાય. જે દવાઓ મધ સાથે જ લેવી જરૂરી હોય તે દવાઓને પણ મુરબ્બા વગેરે અથાણાની ચાસણી કે ઘી - સાકર સાથે લઈ શકાય છે. તેથી દવા માટે પણ મધ લેવાની જરૂર નથી. (૯) માખણ માખણમાં તેના જેવા જ વર્ણવાળા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. છાશ વલોવતા, તેના ઉપર આવતું માખણ છાશની સાથે જ ખાવામાં આવે તો વાત જુદી, બાકી છાશથી જુદું પડે તો તેમાં જીવોની ઉત્પત્તિ થાય છે. સેન્ડવીચ વગેરેમાં જે બટર (માખણ) આવે છે, તે તો ડેરીમાં ઘણાં દિવસોનું ભેગું કરેલું હોય છે. તેમાં પુષ્કળ જીવો ઉત્પન્ન થઈ ગયા હોય છે માટે તેનો સત્વરે ત્યાગ કરી દેવો જોઈએ. ૪૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy