________________
આપ્યું. પોતાની કોઈપણ ચિંતા ન કરવા જણાવ્યું. પણ કુમારે તો ક્ષણવારમાં પોતાના મનમાં કોઈક સંકલ્પ કરી દીધો હતો!
રાત પડી. સિંહશ્રેષ્ઠી સૂઈ ગયા. કુમાર પણ સિંહશ્રેષ્ઠીની પાસેના જ આવાસમાં સૂતો હતો... ના, તે સૂતો નહોતો.... જાગતો જ પડ્યો હતો.
અને..... મધ્યરાત્રીનો સમય થયો.
પોતાનું આત્મકલ્યાણ કરવા સજ્જ બનેલાં સિંહશ્રેષ્ઠી ઊઠ્યા. કોઈને ખ્યાલ ન આવે તે રીતે ધીમેથી બહાર નીકળ્યા. બહાર ઘોર અંધારું હતું. બધા પોતપોતાની છાવણીમાં શાંતિથી સુતાં હતાં. ચારે બાજુ નિરવ શાંતિ હતી. તીવ્ર ગતિથી તેઓ જંગલ તરફ આગળ વધ્યા.
જાગતા કુમારે શ્રેષ્ઠીને ઊભા થઈને બહાર જતાં જોયા. તે પણ ઊભો થઈ ગયો. જરાપણ અવાજ ન આવે, કોઈને પણ ખ્યાલ ન આવે તે રીતે તે શ્રેષ્ઠીની પાછળ પાછળ ધીમે ધીમે ચાલવા લાગ્યો. સિંહશ્રેષ્ઠીને ખ્યાલ ન આવ્યો કે રાજકુમાર એમની પાછળ પાછળ આવી રહ્યો છે!
સવારે મંત્રીઓ સિહશ્રેષ્ઠીના નિવાસમાં આવ્યા, જોયું તો શ્રેષ્ઠીનો પલંગ સાવ ખાલી હતો. બાજુના નિવાસમાં કુમારનો પલંગ પણ સાવ ખાલી હતો.
અરે ! આ શું? શ્રેષ્ઠી અને કુમાર; બંને ગાયબ ? શું બની ગયું ? બધા ગભરાઈ ગયા. કુમારને લઈને સિંહ શ્રેષ્ઠી નાશી ગયા લાગે છે... હવે શું થશે? રાજાને શું જવાબ આપીશું?” ગભરામણનો પાર નથી.
તપાસ કરતાં શ્રેષ્ઠીના પગલાં જંગલ તરફ જતાં દેખાયા... પાછળ રાજકુમારના પણ પગલાં હતા. તે પગલાં જોતાં જોતાં મંત્રીમંડળ - સેનાપતિ વગેરે જંગલ તરફ આગળ વધ્યાં. દૂર દૂર જંગલમાં ઠેઠ અંદર પહોંચ્યા. સામે દેખાયો નાનો પર્વત !
જયારે તે નાના પર્વતની પાસે તેઓ પહોંચ્યા ત્યારે તે પર્વતની તળેટીમાં, એક મોટી શીલા ઉપર સિંહશ્રેષ્ઠી તથા રાજકુમારને સાધુવેશમાં સૂતેલા જોયા. તેઓ એકદમ સ્થિર હતા. હલન-ચલન તેમણે બંધ કરી દીધું હતું.
વૃક્ષની જેમ તેઓ સ્થિર થઈને પડ્યા હતા. હા! તેમણે પાદપોપગમન નામનું અનશન સ્વીકાર્યું હતું. જીવનનો છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધીના ચોવિહારા ઉપવાસ સ્વીકાર્યા હતા!
મંત્રીઓ - સેનાપતિએ બે હાથ જોડીને બંનેને પ્રણામ કર્યા. પોતાની જાત પ્રત્યે તેમને તિરસ્કાર જાગ્યો. પ્રેમાળ વચનોથી તેમણે કહ્યું, “હે મહાપુરુષો ! અમારા
૨૮ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨