SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જયારે આત્મા આઠે કર્મોનો ક્ષય કરે છે, ત્યારે તે પોતાના તમામ આત્મપ્રદેશોને સ્થિર કરવા રૂપ શૈલેશીકરણ કરે છે. તમામ આત્મપ્રદેશો સ્થિર થતાં જ હવે કોઈ કર્મો ચોંટતા નથી. તે આત્મા તરત મોક્ષમાં ચાલ્યો જાય છે. આમ આત્માની સંપૂર્ણ સ્થિરતા તે મોક્ષ છે. તે શાશ્વત સુખ છે. શાશ્વત આનંદ છે. પણ આત્માની અસ્થિરતા તે સંસાર છે. તે મહાદુઃખ છે. માટે શાશ્વત સુખ અને આનંદની ઈચ્છાવાળાએ સ્થિર થવા પ્રયત્નો કરવા જોઈએ. તે માટે ચારે દિશામાં હરવા - ફરવા – રખડવાનું બંધ કરવું જોઈએ. અનિવાર્યપણે ક્યાંક જવું પડે તેમ હોય તો તેમાં પણ શક્યતઃ મર્યાદા બાંધવી જોઈએ. જયણા સાચવવી જોઈએ. ચાર દિશા, ચાર વિદિશા અને ઉર્ધ્વ - અધો, એમ દસ દિશામાં જવા - આવવાની મર્યાદા નક્કી કરવી જોઈએ. આવી મર્યાદા કરવાથી ઘણા પાપો અટકી જાય છે જો આવી મર્યાદા કરવામાં ન આવે તો દૂર દૂરના વિસ્તારોમાં જતાં-આવતાં ગૃહસ્થો ત્રસ અને સ્થાવર જીવોની પુષ્કળ હિંસા કરનારા બને છે. ત્યાંની નવી નવી ચીજો જોઈને આસક્ત બને છે. તે ચીજોને ભેગી કરીને પરિગ્રહી બને છે. તે ચીજો મેળવવા જૂઠ પણ બોલે છે, ક્યારેક ચોરીનો સહારો પણ લે છે. ત્યાંની સ્ત્રીઓમાં આસક્ત બનીને મૈથુન સેવનના પાપમાં પણ પટકાઈ શકે છે. આ બધા પાપોથી અટકવા દિશા પરિમાણ વ્રત અવશ્ય સ્વીકારવું જોઈએ. પૈસો જેમની પાસે વધી ગયો હોય છે તેમને તો યુરોપ, અમેરીકા ફરવા જવાની ઈચ્છા થતી હોય છે. દેશ પરદેશ ઘૂમવા તેઓ ટુરોમાં નીકળે છે. “જીવવા કરતાં જોયું ભલું તે તેમનો મુદ્રાલેખ હોય છે, પણ તેમને કોણ સમજાવે કે માત્ર હરવા - ફરવા કે ઉત્સુકતા - કુતુહલથી પ્રેરાઈને બધે જવાથી તે તે સ્થાનો પ્રત્યે મોહ વધે છે. ત્યાંની વ્યક્તિઓ અને નવી નવી વસ્તુઓ પ્રત્યે આકર્ષણ પેદા થાય છે. તે આકર્ષણ તથા આસક્તિ મોક્ષને ભૂલાવી દે છે. વળી જુદી જુદી વ્યક્તિઓ, વસ્તુઓ અને સ્થાનો જોતી વખતે મનમાં આ સારું, આ ખરાબ, આ શ્રેષ્ઠ, આ હલકું, એવા અભિપ્રાયો બંધાયા વિના રહેતા નથી. તેના કારણે રાગ - ષ થાય છે, વળી આવા અનેક અભિપ્રાયોમાં રમતા મનમાં તે વખતે મોક્ષના તો વિચારો પણ શી રીતે આવી શકે? જે મનમાં જાત જાતના દ્રવ્યો (પદાર્થો) પ્રત્યે તથા જુદા જુદા ક્ષેત્રો પ્રત્યેની આસક્તિ ઊભરાતી હોય તે મનમાં મોક્ષની વિચારણા મુશ્કેલ છે. માટે શાસ્ત્રકાર પરમર્ષિઓ દિશાનું પરિમાણ લેવાનું જણાવે છે. શાસ્ત્રોમાં ગૃહસ્થોને તપાવેલા લોખંડના ગોળાની ઉપમા આપેલી છે. તપાવેલો ગોળો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં બાળતો જાય. તેમ ગૃહસ્થ અવિરતિવાળો હોવાથી તે ૨૧ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy