________________
શ્રી ગુરૂવંદન ભાષ્ય,
વંદન થાય છે. અહિં ગુરૂવંદન નામના ભાષ્યમાં મુખ્ય અધિકાર આ દ્વાદશાવર્ત વંદનની વિધિનેજ કહેવાશે, એ પ્રમાણે ત્રણે પ્રકારની ગુરૂવંદનાને સામાન્ય વિધિ કહ્યા બાદ હવે કઈ વંદના કેને થાય? (કરવી?) તે દર્શાવાય છે –
૫ ૩ પ્રકારની ગુરુવંદના કોને કરવી? ૨ ાિ વંદન-સંઘમાં પરસ્પર કરવું, એટલે સાધુ સાધુએ પરસ્પર, સાધ્વી સાધ્વીએ પરસ્પર, શ્રાવક શ્રાવકે પરસ્પર, અને શ્રાવિકા શ્રાવિકાએ પરસ્પર ફિફ્ટવંદન કરવું. અથવા શ્રાવક સાધુ વિગેરે ચારેને, તેમજ શ્રાવિકા પણ સાધુ વિગેરે ચારેને અને સાધ્વી સાધુને તથા સાવીને, અને સાધુ તે કેવળ સાધુનેજ ફિટ્ટાવંદન કરે.
૨ મવંદન–સાધુ વડીલ સાધુને, સાવી વડીલ સાવીને અને લઘુ પર્યાયવાળા પણ સાધુને, શ્રાવક સાધુને, અને શ્રાવિકા સાધુ તથા સાધ્વીને પંચાંગ વંદન કરે, એ પ્રમાણે ખમાસમણ પૂર્વક ગુરૂવંદના સાધુ સાધીને જ થઈ શકે પરન્તુ શ્રાવક ગમે તે ભાવથી ચારિત્રની ઇચ્છાવાળે હોય તેમજ ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર હોય તે પણ તેવા શ્રાવકને ખમાસમણવાળી વંદના થાયજ નહિ, અને જો તેમ કરે છે તે શ્રી જિનેન્દ્રની આજ્ઞાને મહા ઘાતક જાણો,
૧ સે વર્ષની દીક્ષિત સાધ્વી હોય તેમજ જ્ઞાનાદિકમાં અધિક હોય, તો પણ ૧ દિવસના દીક્ષિત લઘુવયવાળા સાધુને પણ ખમાસમણ પૂર્વક વંદના કરે, એ પ્રમાણે ધર્મમાં પુરુષની પ્રધાનતા તે શ્રી જૈન સિદ્ધાન્તની મર્યાદા છે.
* (કોઈ અવશ્ય) કારણસર ગુણ રહિત વેષધારી સાધુને પણ થઈ શકે (અવચૂરિ).
૨ વર્તમાન સમયમાં કેટલાક શ્રાવકે પિતાને આત્મજ્ઞાન હેવાના આડંબરથી ભાવ સાધુપણું માની પોતાના ભક્ત શ્રાવક શ્રાવિકાઓ પાસે ખમાસમણ દેવડાવે છે, અથવા ભક્તો ભક્તિના મિષથી ખમાસમણ દે છે, છતાં નિવારતા નથી એમ સંભળાય છે, તે જે સત્ય હોય તો તેઓ બન્ને શ્રીજિનેન્દ્રની આરાના વિઘાતક જાણવા.