________________
દ્વાર ર૧-રર-ર૩ મું. (કાઉ પ્રમાણ, સ્તવન, ૭ ચૈત્ય૦) ૦ પહેલા ચરણ સુધીનું હોવાથી રપ ચરણ–પાદ જેટલે છે, અને ઘર માં સારા એ વચનથી ૧ ઉચ્છવાસનું પ્રમાણ તે ૧ પાદના ઉચ્ચાર જેટલું ગણાય છે માટે અહિં ઉચ્છવાસ એટલે ૧ પાદો ઉચ્ચાર કાળ જાણ, પરન્તુ નાસિક દ્વારા જે શ્વાસછવાસ લેવાય છે તે પ્રમાણ અહિં ગણવાનું નથી. તથા સેસ અરિહંત ચેર ના ૩ કાર્યોત્સર્ગ અને વૈયાવચ્ચગને ૧ કાઉસ્સગ એ જ કાઉસ્સગ્ગ ૧-૧ નવકારના થાય છે, ત્યાં એક નવકારની ૮ સંપદા છે, અને તે એકેક સંપદા તે એકેક પાદતુલ્ય (એકેક શ્વાસોચ્છવાસ પ્રમાણની) ગણાય છે માટે તે ચાર કાઉસગ્ગ ૮-૯શ્વાસોચ્છવાસ પ્રમાણન (એટલે ૮પાદોચ્ચાર કાળ ) પ્રમાણુના જાણવા
તથા જાવંતિ ચેર અને જાવંત કેવિસાહ પછી જે સ્તવન કહેવામાં આવે છે તે મેઘ સરખા ગંભીર અને મધુર દવનિપૂર્વક કહેવું, અને તે પણ મહાન અર્થવાળું (એટલે ભકિત જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરે એવું તેમજ થોડા અક્ષરોમાંથી પણ ઘણે અર્થ નિકળે એવું) વિશેષતઃ પૂર્વાચાર્યરચિત કહેવું પુનઃ આ સ્તવન ભિન્ન ભિન્ન આચાર્યોનાં અથવા મુનિ મહાત્માઓનાં બનાવેલાં કહેવાય છે, માટે અમુક સ્તવનજ કહેવાય એવું સ્તવનનું નિયતપણું ન હોવાથી ચૈત્યવંદનભાષ્યાદિમાં સૂત્ર સાથે ગણત્રીમાં ગણ્યું નથી.
૧ ચૈત્યવંદન અથવા સ્તવન મનમાં જ કહેવું અથવા અન્ય ન સાંભળે એવી રીતે જ કહેવું એવો અવશ્ય વિધિ નથી, પરંતુ ઘણું મોટા ૮ઠ્ઠર સ્વરે ઘાંટા પાડી ન બેલતાં મધુરતાથી મધ્યમ સ્વરે બોલે તો પોતાને અને પરને પણ ઘણે આહાદ ઊપજે જેથી ઉભયને ઘણી નિર્જરા થાય.
૨ અહિં મહાન અર્થવાળું એટલે અતિ ઉત્તમતાવાળું સ્તોત્ર અથવા સ્તવન કહેવું અને તે ઉત્તમતા આ પ્રમાણે—જે અધ્યવસાયની વિશુદ્ધિ કરે, જેથી આત્મામાં સંગ-વૈરાગ્ય ઉત્પન્ન થાય, જેમાં પોતાના કરેલા પાપોનું નિવેદન (અથવા પશ્ચાત્તાપ) હોય, વિચિત્ર અર્થ (અનેક પવિત્ર અર્થ). નીકળતા હોય, અખલિતાદિ ગુણવાળું (એટલે છંદભંગાદિ દોષ વિનાનું) હોય, ઈત્યાદિ અનેક વિશિષ્ટતાવાળુ સ્તોત્ર અથવા સ્તવન હોય. (પ્રવ. સારો. વૃત્તિ.)