SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૦. પ્રત્યાખ્યાન ભાષ્ય, મી ગાથામાં કહ્યું તે) એ ત્રણ પ્રકારનાં બે જો કે વિગઈવિકૃતિ રહિત છે, તે પણ નીવિના પચ્ચમાં કંઈ કરણ ઉત્પન્ન થયું હોય તો તે કારણ વજીને શેષ નીવિઓમાં ભેગવવાં– ખાવાં કપે નહિં, અર્થાત તથા પ્રકારના પ્રબળ કારણ વિના એ નાવિમાં કશે નહિ. જે કારણથી સિદ્ધાન્તમાં (નિશિથ ભાષ્યમાં ) કહ્યું છે કે–( એ સિદ્ધાન્તની ગાથા હવે દર્શાવાય છે ), માવાર્થ-ગાથાર્થને અનુસાર સુગમ છે, પરંતુ વિશેષ એ છે કે-અહિં કારણના સંબંધમાં જાણવાનું કે જે મુનિ વેગવહન કરે છે, પરન્તુ વિશેષ સામર્થ્ય ન હોય, અથવા દીર્ઘકાળ સુધી નીવિની તપશ્ચર્યા ચાલતી હોય, અથવા ચાવજીવ વિગઅને ત્યાગ હેય, બહુ તપસ્વી હોય, અથવા નીવિના તપ સાથે પ્લાન મુનિ તથા ગુરુ તથા બીજા પણ સાધુઓની વૈયાવૃત્ય ( કાયિક સેવા) કરનાર હોય અને તેવા મુનિઓને નવિની તપશ્ચર્યા ચાલતી હોય, અને સર્વથા નિરસ દ્રવ્યોથી અશક્તિ પ્રાપ્ત થતાં તે વૈયાવૃત્યાદિમાં વ્યાઘાત થતું હોય તેવા મનિએને ગુરુની આજ્ઞાથી નીલિમાં એ ત્રણે પ્રકારનાં દ્રવ્ય કહ્યું, પરન્તુ જીહાને લોભથી અર્થાત આહારની રસિકતાથી તે એ દ્રવ્ય નીવિયાતાં હોવા છતાં પણ નાવિમાં લેવાં કપે નહિં. બરણ કે એ દ્રવ્ય જે કે વિકૃતિ રહિત કહ્યાં છે, તે પણ સુસ્વાદ હિત તે નથી જ, ( તેમજ સર્વથા વિકૃતિરહિત પણ નથી, અને તપશ્ચર્યા તે સ્વાદિષ્ટ આહારના ત્યાગથી જ સાથક ગણાય. વળી તપશ્ચર્યા કરવી અને સ્વાદિષ્ટ આહાર કરે એ તપશ્ચર્યાનું ખરું લક્ષણ નથી, તપશ્ચર્યામાં ઉજમાળ થયેલ આત્મા તે સ્વાદિષ્ટ આહારના ત્યાગ સમ્મુખ વર્તનારો જ હેય. કારણ કે તપસ્વીનું લક્ષ્ય જેમ બને તેમ અને નીરસ આહારને પણ ત્યાગ કરવા તરફ હોય છે, તે તેવા તપમાં સ્વાદિષ્ટ આહારને અવકાશ ક્યાંથી હોય ! તથા એ વિગઈઓનાં નાવિ. યાત બનાવવા છતાં પણ વિગઈઓ સર્વથા વિકૃતિરહિત થાય છે એમ નથી, તે વાત આગળનીજ ૪૦ મી ગાથામાં દર્શાવાશે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy