________________
૨૦૬
પ્રત્યાખ્યાન ભાષ્ય.
હેય, અને અન્ય મુનિઓએ વિધિપૂર્વક વાપરતાં તે ભેજન કિંચિત વધ્યું હોય તો તે પારિદ્વાવણીય એટલે પરઠવવા યોગ્ય (=સર્વથા ત્યજવા ગ્ય) ગણાય છે; પરન્તુ તે વધેલા ભેજનને પરઠવતાં અનેક દોષ જાણીને ગુરૂ મહારાજ ઉપવાસ તથા એકાશનાદિ પચ્ચ૦ વાળ મુનિને એકાશનાદિ કરી લીધા બાદ પણ વાપરવાની આજ્ઞા કરે છે તે મુનિને ફરીથી આહાર વાપરતાં પણ ઉપવાસ તથા એકાશનાદિ પચવ ને ભંગ ન ગણાય, તે કારણથી પાળિયારે આગાર રાખવામાં આવે છે. આ આગાર (આહાર)માં પચ૦ વાળા મુનિએ ગુરૂની પવિત્ર આજ્ઞા જ આરાધવાની છે, પરંતુ આહારમાં કિંચિત માત્ર પણ લેલુપતા રાખવાની નથી, તેમજ “ગુરૂમહારાજની આજ્ઞાથી આટલે પણ આહાર વાપરવાનું બન્યું તે ઠીક થયું નહિતર આજે એકાશનાદિ પચ્ચખાણ મને બહુ ભારી-આકરૂં થાત” ઇત્યાદિ રીતે પણ આહારની અનુમોદના કરવાની નથી. આ આગાર મુનિને જ હોય છે. તથા અહિં એટલું વિશેષ છે કે-ઉપવાસ એકાશન વિગેરે જે ચવિહારથી કરેલ હોય અને પરઠવવા ગ્ય આહારમાં પણ અન્ન અને પાણી એ બન્ને ચીજ વધી હોય તો તે બે ચીજ ગ્રહણ કરવી છે, કારણકે પાણી ન વધ્યું હોય અને કેવળ આહારજ વચ્ચે હોય તે ચઊંવિહાર પચ્ચ૦ માં મુખશુદ્ધિ કેવી રીતે થાય ? માટે આહાર સાથે પાણી પણ વધેલું હોવું જોઈએઅને જે મુનિએ ઉપવાસ વા એકાશન વિગેરે તિવિહારથી કરેલ હોય તેને તે પાણી પીવાની પ્રથમથીજ છૂટ હોવાથી પાણી ન વધ્યું હોય અને કેવળ આ૧ અહિં વિધિગ્રહિત અને વિધિમુક્ત ) એ ૪ ભાંગામાંથી પહેલા આ વિધિગ્રહિત, અવિધભુત ( ભંગાવાળા આહાર આ - અવિધિગ્રહિત , વિધિમુક્ત ( આગારમાં કલ્પ, શેષ ત્રણ
અવિધિગ્રહિત , અવધિમુક્ત ) ભાંગાનો આહારે ન કલ્પ. ( ૨ શ્રાવકને એકાશનાદિ પચ્ચ૦ માં આ આગાર ઉચ્ચરાવાય છે તે પચ્ચે નો આલાપક (આલાવા-પાઠ ) ખંડિત ન કરવા માટે, પરંતુ એ આગાર શ્રાવકને પણ હોય એવા કારણથી નહિ (-ધર્મ સં૦ વૃત્તિઃ )