________________
૨૦૪
પ્રત્યાખ્યાન ભાષ્ય,
ભજન ન કરે એવી સાધુ સામાચારી છે, તેથી એકાશન કરતી વખતે કેઈ ગૃહસ્થ આવી પડે અને તે જે વધારે વખત ઉભો નહિ રહે તેમ જણાય તે મુનિએ ક્ષણવાર ભેજન કરતાં અટકવું, અને વધારે વખત ઉભું રહેશે એમ જણાય તો ભેજન કરતાં કરતાં વચમાં પણ ઉઠીને બીજે સ્થાને જઈ ભેજન કરે તે એકાશનને ભંગ ન ગણાય તે કારણથી નારિમાન એ આગાર રાખવામાં આવે છે. તેવી જ રીતે જેની દ્રષ્ટિ પડવાથી ભેજન ન પચી શકે અને અવગુણ કરે તેવી દ્રષ્ટિવાળે મનુષ્ય આવી પડતાં ગૃહસ્થ પણ એકાશન (ભજન) કરતો વચમાં ઉઠીને અન્ય સ્થાને જઈ ભેજન કરે. એ પ્રમાણે મુનિને તથા શ્રાવકને અંગે જે સાગરિક અગર કહ્યો તે સાગરિકના ઉપલક્ષણથી ( કેવળ સાગારિક જ નહિં પરતુ ) બન્દિ ( ભાટ ચારણ આદિ )-સર્પ-અગ્નિભય-જળીની રેલ તથા ઘરનું પડવું ઈત્યાદિ અનેક આગાર ( આ સાગરિ આગારમાં) અતર્ગત જાણવા
તર–આ ગાથામાં ૮-૧૦-૧૧-૧ર એ ચાર આગારને અર્થ કહે છે – आउंटण मंगाणं, गुरुपाहुणसाहु गुरु अमुट्ठाणं । परिठावण विहिगहिए, जईण पावरणि कडिपट्टो॥२६॥
૧ તેનો હેતુ વિસ્તાર સંહિત શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટકજીમાંથી ( આહાર અષ્ટક નામના અષ્ટકમાંથી ) જાણવા યોગ્ય છે.
૨ તેવી વાષ્ટિ સિવાયનો કોઈ અન્ય ગૃહસ્થ ભેજન વખતે આવે તો તેને જમવાની યથાયોગ્ય નિમંત્રણ કરે, અને નિમંત્રણ સ્વીકારે તો તેને વિવેક પૂર્વક જમાડે. તેમજ બહાર યાચક વિગેરે આવ્યા હોય તો તેઓને પણ યથાશક્તિ ( કિચિત પણ ) આપે; પરન્તુ સર્વથા નિરાશ કરી ન કાઢે, કારણ કે ગૃહસ્થનો દાન ધર્મ છે, માટે ભોજન વખતે અવંગુયદ્વાર ( ખુલ્લાં દ્વાર ) રાખવાનું કહ્યું છે. પરંતુ રખેને કઈ આવી પડશે તે કંઈક આપવું પડશે. એવા ભયથી બંધબારણે ભોજન કરવું તે ગૃહસ્થને અંગે તે કૃપણુતા અને એકલપેટાપણું ગણાય.