________________
દ્વાર ૨ જું (૫ ઉચ્ચારસ્થાન)
ક્ય
માવાર્થઅહિં એકાશનાદિ મેટા પ્રત્યાખ્યામાં અન્તગતપણે (પટાભાગમાં) જે જુદાં જુદાં પાંચ પ્રકારનાં પચ્ચખાણ ઉચ્ચરાવવામાં આવે છે તે પાંચ થાન કહેવાય છે, અને તે પાંચ પચ્ચખાણના જુદા જુદા આલાપક–આલાવા (=પાઠ)તે પાંચ પ્રકારનાં સવારથાન કહેવાય છે. જેમકે–એકાશનમાં સર્વથી પ્રથમ “નમુક્કારસહિયં પરિસી આદિ એક અદ્ધાપચ્ચખાણ અને મુદિસહિયે આદિ એક સંકેત પચ્ચખાણ ઉચ્ચરાવાય છે, તે બે મળીને પહેલું ચાર સ્થાન ગણાય, ત્યારબાદ વિગઈનું પરચખાણ ઉચ્ચરાવાય છે તે બીજું, ત્યારબાદ એકાશનને આલાવે ઉચ્ચરાવાય છે તે ત્રીજું, ત્યારબાદ પાણસને આલાવો ઉચ્ચરાવાય છે તે ચોથું, એ પ્રમાણે ચાર પચ્ચ૦ ના ચાર આલાવા પ્રભાતમાં એકસાથે ઉચરાવાય છે, અને સવારે તથા સાંજરે દેશાવકાશિક અથવા સાંજે દિવસચરિમ કે પાણહારનું પચ્ચ૦ ઉચ્ચરાવાય છે તે પાંચમું ઉચ્ચારસ્થાન. એ રીતે એકાશનના એકજ પ્રત્યામાં પાંચ પેટા પચ્ચખાણે તે પાંચ સ્થાન કહેવાય છે, અને તે પાંચ પ્રત્યાના પાંચ આલાવા તે પાંચ ઉચ્ચારસ્થાન જાણવાં.
* અહિં ગણાતાં પાંચ સ્થાને તે એકાશનાદિ (આહારવાળા) પ્રત્યાખ્યાનોના પેટાવિભાગ તરીકે જાણવા, અને (આહાર રહિતના પ્રત્યાખ્યાન માટે એટલે ) ઉપવાસ માટે જે પાંચ સ્થાને છે તે તો ખાસ જુદી ગાથાથી ( ૮ મી ગાથામાં ) જ કહેવાશે.
* (એકાશન બિઆસણ અને એકઠાણામાં) ૬ ભર્યાવિગઈમાંની કોઈ એક પણ વિગઈનો ત્યાગ ન કર્યો હોય તો પણ ૪ અભક્ષ્ય વિગઈને ત્યાગ તો પ્રાયઃ સર્વને હેજ જોઈએ તે કારણથી એ પ્રત્યાખ્યાનમાં વિગઈત્યાગને આલા પણ અવશ્ય ઉચ્ચરાવાય છે. (ધ. સં વૃત્તિ ભાવાર્થ )
૧ અથવા બીજો અર્થ –જે ૨૧ પચ્ચખાણો છે, તેના ઉચ્ચાર પાઠરૂપ આલાવા જૂદા જૂદા ૨૧ નથી, પરંતુ મુખ્ય પાંચ આલાવા છે, માટે તે ૨૧ પ્રત્યાખ્યાન ઉચ્ચરાવવામાં જે મુખ્ય પાંચજ આલાવાસૂત્રપાઠ ઉપયોગી થાય છે, તે પાંચ સૂત્રપાઠ પાંચ રાજસ્થાન ગણાય છે.