________________
દ્વાર ર૦ મું (૬ ગુરૂવચન)
૧૪૭ તે ગુરૂનું પહેલું વચન જાણવું. તથા કંઈ કારણથી વંદન ન કરાવવું હોય તો વિરહદ કહે, અથવા તિમિળ કહે, ત્યારે શિષ્ય સંક્ષિપ વંદન કરીને એટલે ખમાસમણ દઈને અથવા તો ફક્ત મર્થીએણવંદામિ” એટલું જ કહીને જાય પરન્તુ સર્વથા વંદન કર્યા વિના ન જાય એ શિષ્ટાચાર છે.
. * * ત્યારબાદ બીજા વંદનાસ્થાનમાં ગણુનાદ એ મિડવા એ ૩ પદે વડે શિષ્ય વંદના કરવા માટે જ્યારે ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગે ત્યારે ગુરૂ માણાભિ (=આજ્ઞા આપું છું કે મારા અવગ્રહમાં પ્રવેશ કરી એમ કહે તે ગુરૂનું બીજું વચન જાણવું.
ત્યારબાદ ત્રીજા વંદનાસ્થાનમાં નિશીથિી રિવનો તો સુધીનાં બાર પદ વડે ( ગુરૂના ચરણને સ્પર્શ કરવાથી થયેલી અલ્પ કિલામણું ખમાવીને ) આપને આજનો દિવસ બહુ સારી રીતે વ્યતીત થયે ? એ પ્રમાણે સુખશાતા પૂછે ત્યારે ગુરૂ તાત્તિ કહે તે ગુરૂનું ત્રીજું વચન જાણવું
ત્યારબાદ “કત્તા મે) એ બે પદવડે આપની સંયમચાત્રા સુખપૂર્વક વર્તે છે ?” એમ પૂછે, ત્યારે ગુરૂ તુમ્મર વટ્ટર કહે તે ગુરૂનું ચોથું વચન જાણવું
ત્યારબાદ “નવદં ર મે ” એ ત્રણ પદ વડે ગુરૂને
૧ વાદ ( પ્રતિક્ષસ્વ-થોભો) એ આવ ચૂણિનું વચન અર્થસહ પ્રવ૦ સારે વૃત્તિમાં કહ્યું છે. પુનઃ તે કારણ જે શિષ્યને કહેવા યોગ્ય હોય તે કહે નહિતર ન કહે.
ર તિવા એ પદ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે, અને તેનો અર્થ મન વચન કાયા વડે વંદન કરવાનો નિષેધ છે ” એ અર્થ પ્રવ૦ સારો વૃત્તિમાં કહ્યો છે.
તત્તિ એટલે તેમજ. અર્થાત જેમ તું કહે છે તેમ મારે દિવસ શુભ વ્યતીત થયો છે.
૪ અર્થાત “ તને પણ વર્તે છે ?” એટલે તારી સંયમ યાત્રા પણ સુખે વર્તે છે ? મારી તો વર્તે છે.