________________
૧૨૨
ગુરૂવંદન ભાષ્ય,
સમણ દઈ ગુરુની આજ્ઞા માગી પગના ઉત્કટિક આસનથી બેસીને મનપણે મુહપત્તિની ૨૫ પડિલેહણા બે હાથને બે પગના આંતરામાં રાખી કરવી, તે ૨૫ પડિલેહણા આ પ્રમાણે
? કઈ હિપ-મુહપત્તિનાં પડ ઉખેડી દ્રષ્ટિ સન્મુખ તીઠ્ઠી વિસ્તારીને દ્રષ્ટિ સન્મુખ રહેલું પહેલું પાસું દ્રષ્ટિથી બરાબર તપાસવું, તેમાં જે કંઈ જીવજંતુ માલુમ પડે તો તેને જયણા પૂર્વક યોગ્ય સ્થાને મૂકો. ત્યારબાદ મુહપત્તિને બે હાથ ધરેલ ઉપલો ભાગ ડાબા હાથ ઉપર (જમણા હાથવડે) નાખીને બીજું પાસું એવી રીતે બદલી નાખવું કે પ્રથમ ડાબા હાથમાં ધરેલ દાબેલો ખૂણે જમણા હાથમાં આવે, અને બીજું પાસું દ્રષ્ટિ સન્મુખ થઈ જાય, ત્યારબાદ તે દ્રષ્ટિ સન્મુખ થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાવત દ્રષ્ટિથી તપાસવું, એ પ્રમાણે, મહેપત્તિનાં બે પાસાં દ્રષ્ટિથી તપાસવા તે દ્રષ્ટિપતિલેહણા જાણવી.
વદ viા ( =૬ g૪)–બીજા પાસાની દ્રષ્ટિ પડિલેહણા કરીને તે કાર્ય એટલે તીઠ્ઠી વિસ્તારેલી એવી મહાપત્તિને પ્રથમ ડાબા હાથ તરફને ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવે તે પહેલા ૩ રિમ કહેવાય, ત્યારબાદ (દ્રષ્ટિ પડિલેહણામાં કહ્યા પ્રમાણે ) મહપત્તિનું બીજું પાસું બદલીને અને દ્રષ્ટિથી તપાસીને જમણે હાથ તરફને ભાગ ત્રણ વાર ખંખેરવા અથવા નચાવવો તે બીજા રૂ પુરિમ ગણાય, એ પ્રમાણે કરેલા ૬ પુરિમ તેજ ૬ ઉર્વપક્ષેડા અથવા ૬ ઉર્વપ્રર્ફોટક કહેવાય.
૩ બે પગ વાળી બને ઘુંટણ ઉંચા રહે તેવી રીતે ઉભા પગે ભૂમિથી. અધર બેસવું તે અહિં ઉકડુ આસન અથવા ઉત્કટિકાસન જાણવું, અને મુહપત્તિપડિલેહણ વખતે બે હાથને બે પગની વચ્ચે રાખવા.
૧ ઉત્કટિકાસને બેસવું તે #ાર્થ અને મુહપત્તિનો તીર્થો વિસ્તાર તે વસ્ત્રાર્થે એમ બન્ને પ્રકારની ઉર્ધ્વતા અહિં ગણાય.
૨ મહેપત્તિને તીર્થો વિસ્તારીને જે પુરિમ એટલે પૂર્વ ક્રિયા-પ્રથમ ક્રિયા કરવામાં આવે છે તે ઉત્તમ કહેવાય.