________________
વિચારરત્નાશિ ]
૫૧
તેમાં તેને જોવાની અગત્ય છે. જેઓ બાળકની ઈચ્છાને વધારે સુંદર વિષયો આપીને, તે રમતની ઈચ્છાના પ્રવાહને અન્ય માર્ગે વાળવાનો પ્રયત્ન ન કરતાં, તેને ધાકથી કે મારથી રોકવાનો પ્રયત્ન કરે છે, તેઓ બાળકને, રમત ખોટી છે એવું કદી સમજાવી શકતા નથી. આ માર અને ધાથી રોકેલી બાળકની રમવાની ઈચ્છા, પ્રસંગ પ્રાપ્ત થતાં પુનઃ વેગથી ઊઠે છે, અથવા ચોરીછૂપીથી તે રમે છે. બાળકની રમવાની ઈચ્છાને રોકવાને આ ઉપાય નથી જ. રમતથી અધિક સુંદર વિષય આપવા એ જ બાળકનું રમતિયાળપણું ભુલાવવાને સફળ અને યથાર્થ ઉપાય છે. ઇચ્છાને રેધ કરવાની ઈચ્છાવાળા મનુષ્ય પણ આમ જ કરવાનું છે. ક્રમે ક્રમે તેને અયોગ્ય વિષયોમાંથી છોડવી ઉચ્ચ વિષયોમાં જોડવી એટલું જ કરવાનું છે.
૨૭. કઈ પણ અમુક વિષય સારો છે, એવો નિશ્ચય થતાં તેની ઈચ્છા અંતરમાં પ્રકટે છે અને તે પ્રાપ્ત કરવા યોગ્ય છે, એમ જે વૃત્તિમાં દઢ થાય છે, તે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સેવાય જ છે. વિષયની પ્રિયતા અથવા યોગ્યતા
જ્યાંસુધી દૃઢ સમજાઈ નથી હોતી ત્યાં સુધી જ તેની આતુર ઈચ્છા પ્રકટતી નથી. તમને શુદ્ધ વિચાર સેવવાની આતુર ઈચ્છા ન પ્રકટતી હોય તે તે ઈચ્છા પ્રકટ્યા વિના, તમને શુદ્ધ વિચાર સેવવાનું કામ મહાસાગર તરવા જેવું કઠિન ભાસે એમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી. શુદ્ધ વિચાર સેવવાનું કાર્ય તમને અત્યંત કઠિન જણાવનાર અન્ય કોઈ નથી, પણ તમારી દુર્બળ ઈચ્છા છે.
૨૮. આતુર ઇચછા પ્રકટાવો, અને આ શુદ્ધ વિચાર સેવવાનું કાર્ય તમને સરળ જણાશે. પુનઃ પુનઃ વિચારવડે નિશ્ચય કરે કે શુદ્ધ વિચાર સેવવાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. અને જેમ કૂવામાં જળ હોય છે તે જ હવાડામાં જળ આવે છે, તે જ પ્રમાણે શુદ્ધ વિચાર સેવીને તમે સુખની પ્રાપ્તિ કરી હશે તે જ તમે અન્યને તે સુખ આપી શકશે. તમારા અને જગતનાં દુઃખ ટાળવાને આ જ ઉપાય છે. અન્ય ઉપાય સેવતા હશે તે તે સર્વ ફાફા છે. તમે સુખી નથી તે તમે અન્યને શું સુખી કરી શકશે? તમારે જ ખાવાને અને દાણ નથી ત્યાં તમે આખું ગામ જમાડવાને શું જોઈને કમર બાંધે છે? શુદ્ધ વિચાર સે, સુખનો તમારા પિતાનામાં આવિર્ભાવ કરે, અને આ પ્રમાણે પ્રથમ શ્રીમાન થઈ સર્વત્ર સુખની લહાણી કરે.
૨૯. ઘણા મનુ એમ માનતા હોય છે કે અમારાથી પુરુષાર્થ નહિ કરી શકાવાનું અને તે દ્વારા સુખ નહિ મેળવી શકાવાનું કારણ અન્ય કેઈ નથી,