SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ the same time expresses the inner individuality of the mystical student. ભાવાર્થ-આ જે નામ આપવામાં આવે છે તેના ક અર્થ નથી. પર ંતુ અંતર્યાંની શ્વિર જે નામ તેનામાં સ્પુરાવે છે તેમાં ચમત્કારિક સામર્થ્ય રહેલુ હાય અને તે નામ તે અધ્યાત્મવિદ્યાના ઉપાસકના આંતરજીવનને સ્પષ્ટ કરે છે. આગળ જણાવે છે: The imparting of a new name means the transformation of the mystic into a new This name is impressed upon the mystic with the divine stamp and remains fixed for ever on his soul. નવા નામની સંજ્ઞા ઉપાસકના જીવનના પરિવર્તનની સૂચક છે. આ સંજ્ઞા એના ઉપર દૈવી મુદ્રારૂપે અંકિત થાય છે અને તેના આત્માઉપર સ્થાયી સ્થપાઈ રહે છે. man. શ્રીમન નૃસિ ંહાચાર્યજીની રચેલી સ્તુતિ જે પુષ્પાંજલિ રૂપે ગાવામાં આવે તેમાં ‘મુદ્રા તપાવી અતિ સદ્ય નૃસિંહુ ચાંપો' એ પંક્તિ છે, તેમાં આ દેવી મુદ્રાનુ' જ સૂચન સ્પષ્ટ થાય છે. આ નુતન દેહના જન્મ શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષયોગદૃષ્ટિથી જોઈ શકે છે. શું આ આંખે ઈશ્વરનું દન થઈ શકે છે ?” એવા એક શિષ્યને ઉત્તર આપતાં એ મહાપુરુષ જણાવે છેઃ “ઘલ નેત્રાવડે તેને જોઇ શકાતા નથી. સાધનભજન કરતાં કરતાં એક પ્રકારના પ્રેમના દેહ ઘડાય છે. તેનાં નેત્ર, તેના કાન, સપ્રેમનાં બનેલાં હાય છે. એ નેત્રવડે ઈશ્વરને જોઇ શકાય છે–એ કાનવડે તેની વાણી સભળાય છે..." દિવ્યદૃષ્ટિથી શ્રીમન્નસિંહાચાર્યજીએ શ્રીમન માસ્તર સાહેબને અપેલી સંજ્ઞા આ પ્રમાણે અત્યંત અસૂચક છે અને તે સપૂર્ણ ચરિતાર્થ થયેલી અનુભવમાં આવેલી હાવાથી શ્રેયસાધકા શ્રી વિશ્વવંદ્યના નામથી જ તેમના વિષેના સવ વ્યવહાર કરે છે અને તેમના લેખોના સંગ્રહ એ નામસ ંજ્ઞાથી યુક્ત કરી ઉપર જણાવ્યું તે નામથી પ્રસિદ્ધ કરવાની યોજના વિચારી છે. શ્રેયસ્સાધાને તો આ વસ્તુ સ્પષ્ટ છે પરંતુ તટસ્થ જનતાને માટે આ સ્પષ્ટીકરણની અગત્ય સ્વીકારી છે. તેઓશ્રીના સવ લેખે એક જ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાનુ અનેક રીતે અનુકૂલ પડે તેમ નથી અને તેથી વિભાગરૂપે પ્રકટ કરવામાં આવશે. આ પ્રથમ વિભાગ એ રત્નાકર–નની ખાણમાં પ્રથમ રાશિ-સમૂહ છે. આ પ્રથમ રાશિમાં મુખ્ય બે લેખ પ્રસિદ્ધ થાય છે. સુખનાં સરળ સાધના અને વિચારરત્નરાશિ.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy