SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [વિશ્વવંદવિચારરત્નાકર ૧૫. જેમનાં અંતઃકરણ અયોગ્ય વિચારરૂપી પિશાચને નૃત્ય કરવાની મશાનભૂમિ હોય છે, જેમાં પ્રાણીમાત્ર ઉપર પ્રેમ રાખતા નથી, જેમનાં મન ક્રોધથી તપેલાં હોય છે, જેમની વાણી કુહાડાને ઘાની પેઠે શ્રવણ કરનારના હૃદયને ભેદે છે, જેઓ ચિંતા અને શેકથી વ્યાકુલ હોય છે, જેઓનાં મુખ નિરતર ચઢેલાં રહે છે, જેઓ અયોગ્ય વર્તન કરનાર ઉપર પણ સૌમ્ય તથા અમૃતથી ભરેલી પ્રેમવાળી દષ્ટિ નાંખી શકતા નથી, તેઓ જગતનું દુઃખ ટાળવાને માટે ગમે તેવા જ્ઞાનના ઉપદેશ આપે, નીતિનાં મોટાં મોટાં વ્યાખ્યાને કરે, તે પણ તે સફળ થતા નથી. તેમના અગ્ય વિચાર તથા વર્તનનું એવું તે દુઃખદ વાતાવરણ તેમની આજુબાજુ બંધાય છે કે તેમાં પ્રવેશનારને શાંતિ કે સંખનું ભાન થતું નથી. સાકરથી મિશ્ર કરેલા દૂધને ઝેરી સાપ, પિતાના મુખમાં લેઈ અન્યને પીવા આપે છે તેથી શું પીનારને લાભ થવાને સંભવ હોય છે? નિરંતર અયોગ્ય વિચાર સેવનાર મનુષ્ય પિતાનું અને જગતનું દુઃખ વધારે જ છે. મળનું ગાડું જયાં જયાં જાય છે ત્યાં ત્યાં દુર્ગધને પ્રસારી સર્વને ત્રાસ ઉપજાવે છે. અયોગ્ય વિચારવર્તનવાળી મનુષ્ય સવર્ગ હાનિને જ ઉપજાવે છે. સુવાસિત પુષ્પની વાટિકા, પિતાના સ્થાનમાં રહ્યા છતાં ચારે બાજુએ સુવાસને પ્રસારી મનુને પ્રસન્નતા પ્રકટાવે છે. શુદ્ધ વિચારવર્તનવાળો મનુષ્ય પણ પિતાના સ્થાનમાં રહ્યો છતાં જગતનાં દુઃખે ન્યૂન કરે છે, અને મનને સુખશાંતિના સંભ આણે છે. ૧૬. મનુષ્ય ગમે તે ધર્મ પાળતો હોય અને ગમે તે દેવની ઉપાસના કરતે હોય તે પણ જે તે શુદ્ધ વિચારને સેવ હોય છે તે તે જગતના સુખને વધારે છે. એથી ઉલટું ઉત્તમ બ્રાહ્મણના બાહ્યાચાર પાળતાં છતાં, અને પરમાત્માની ઉપાસના કરતાં છતાં પણ જે તે પ્રાણીઓને દંષ કરતે હોય, ક્રોધના વિચારને હૃદયમાં અવકાશ આપતા હોય, દુષ્ટ વર્તન કરનાર મનુષ્યો ઉપર કરણે ધરવાને બદલે તેમને તિરસ્કાર અથવા ધિક્કાર કરતા હોય અને વાણી વડે પ્રિય અને હિતકર વચને વદવાને બદલે અપ્રિય કઠોર વચનો વદ હોય તે તે જગતમાં દુઃખને વધારે કરે છે. ૧૭. મનુષ્ય ગમે તેવા વિદ્વાન હોય, સર્વ શાસ્ત્રમાં પારંગત હોય, સભાએમાં પિતાના વક્નત્વથી શ્રોતાઓને આંજી નાંખતે હેય, ઉત્તમ વિદ્વત્તાવાળા થે લખી શકતે હૈય, અને રાજદ્વારમાં તથા વ્યવહારમાં કોઈ નિમિત્તથી સન્માનને પામતે હોય તે પણ અગ્ય વર્તન થતાં ક્ષમા આપવાનું તથા
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy