________________
સુખનાં સરળ સાધના ]
૩૩
વિચારના સામર્થ્યને જોવાની ઈચ્છા હાય તો નીચેના શુદ્ધ વિચારને ત્રણ માસસુધી સેવ્યા કરો. અશુભ વિચારનું ફળ માસમાં કે તેથી ઓછા સમયમાં પણ જણાય છે, કારણ તે સેવવા બહુ સહેલા પડે છે, તથા સારી રીતે સેવાય છે. તમારી ખાતરીને માટે આ સ્થળે તેવા કાઈ અશુભ વિચાર સેવવાના પ્રયોગ હું લખત, પણ પ્રિય ભાઈ ! તમારી ખાતરી નહિ થાય તો ચિંતા નથી, પણ તમને દુઃખી કરવા હું ઈચ્છતા નથી. સામલ ખાવાથી મૃત્યુ થાય છે, એવું કાઈ ન માને, તેની તે ખવડાવી ખાતરી કરી આપવી, એ મારુ’કામ નથી. તમારો દુરાગ્રહ જ તમારો સાચો શિક્ષક થઈને તમને સમય જતાં સુધારશે, હાલ તો જો યોગ્ય ભાસે તે નીચેના શુદ્ધ વિચાર સેવજો.
‘ ગગનમાં ઊડતા પક્ષીની દોદિશાએ જેમ હવા છે, તથા સમુદ્રમાં ફરતા મત્સ્યની બધી બાજુએ જેમ જળ છે, તેમ પરમેશ્વર સર્વ વ્યાપક હાવાથી મારી સ` દિશામાં તે જ છે. હું પરમેશ્વરમાં જ હરું શ્રુ, ક્રૂરુ છું, અને મારા સ વ્યવહાર કરુ છું. પરમેશ્વર સુખસ્વરૂપ છે, અને તે મારી દૃશેદિશાએ વ્યાપી રહેલા હેાવાથી હું સુખના જ મહાસાગરમાં અખંડ રહું છું. પરમેશ્વર ચૈતન્યરવરૂપ છે, અને તેમનામાં જ હું રાત્રિદિવસ હરતાફરતા હાવાથી હું આરેાગ્યમાં જ નિરંતર રહું છું. પરમેશ્વર અનત ઐશ્વર્ય મય છે, અને તેથી મારી આજુબાજુ અનંત અશ્વ જ વ્યાપી રહ્યું છે. સુખથી, આરોગ્યથી, ઐશ્વય થી, જ્ઞાનથી, સામર્થ્યથી મારે એક તસુના લાખમા ભાગજેટલું પણ અંતર નથી, કારણ કે પરમેશ્વર એ સમય છે, અને તે મારા અંતર્બાહ્ય વ્યાપી રહ્યા છે.’ આ વિચારાનું થાડા દિવસ અખંડ ચિંતન કર્યાં કરો. એ વિચારામાં જે ભાવ રહેલા છે, તે ભાવતી સત્યતાને હૃદયમાં આરૂઢ કરવાના પ્રયત્ન કરો. એ વિચારામાં રહેલા ભાવથી વિરુદ્ધ પ્રકારના ભાવને હૃદયમાં પ્રવેશવા ન દે, અને તમારી શારીરિક, માનસિક, વ્યાવહારિક, અને પારમાર્થિક સ્થિતિઉપર તેની શી અસર થાય છે, તે અવલકા, અને પછી કહો કે વિચાર કરશું જ કરવા સમર્થ નથી.
એ વિચારાને ખરા માની, તેના ભાવમાં તમે સ્થિર થવા માંડા છો કે તત્કાલ તમને વિલક્ષણ નિર્ભયતા ભાસે છે. બધે જ આરાગ્ય વ્યાપી રહેલુ છે, એવું તમારી વૃત્તિમાં આરૂઢ થતાં તમને વ્યાધિના ભય રહેતો નથી. તમારા પાડોશમાં જ પ્લેગના કેસ થયા હોય છે, તોપણ તમારા વિચારનું સ્વરૂપ બદલાવાથી તમારું હૃદય કડક ડક થતું નથી. બધે જ આનં↑ વ્યાપી રહેલા
૫