________________
२४
[શ્રી વિધવ ઘવિચારરત્નાકર
આપણા અસ્તિત્વનું, આપણા જીવનનું મૂળ કારણ એક છે, અને તે સંવ્યાપક છે. એ મૂળ કારણમાં સર્વ શુભ, સર્વસામર્થ્ય, સર્વ જ્ઞાન રહેલું છે. એ મૂળ કારણ આપણામાં રહેલું છે, આપણા દ્વારા પ્રતીત થાય છે, અને આપણા તેનાથી સદા અભેદ છે, અને તેથી કરીને એ મૂળ કારણમાંથી જે જે આપણે જોઈએ તે જ્ઞાનવડે આપણે લઈ શકીએ છીએ.
પ્રકરણ ૨ વિચારરૂપ ક્રિયા
પ્રથમ પ્રકરણમાં આપણે વિચાર કરી ગયા કે પ્રત્યેક પ્રાણીપદાના અંતરમાં રહેલું, તે પ્રાણીપદાર્થનું જે મૂળ કારણ છે, તે ઈશ્વર અથવા પરમતત્ત્વ છે; વિશ્વમાં જે અસંખ્ય પ્રાણીપદાર્થોં દષ્ટિએ આવે છે, તે સવ પરમેશ્વરથી અભિન્ન છે, અને જેમ એક જ જળ, વરાળ, પાણી અને બરફરૂપે જણાય છે, તેમ એક જ પરમેશ્વર વિવિધ જડચેતન પ્રાણીપદાર્થાંરૂપે પ્રતીત થાય છે; અર્થાત્ જે જે દૃષ્ટિએ પડે છે, તે નિરાકાર પરમાત્મા જ સાકાર રૂપે પ્રતીત થાય છે. પરમેશ્વરવિના આ જગતમાં અન્ય કશું છે જ નહિ. પરમેશ્વર જ જગતારૂપ પરિણામને પામેલા છે. જડ પદાર્થાનું જડત્વ અને જીવતા પદાર્થોનુ જીવત્વ એ ઉભય એક પરમેશ્વરની જ ભિન્ન ભિન્ન કળા છે. વિવિધ પ્રાણીઓમાં પ્રતીત થતું જ્ઞાન અને પ્રેમ એ સ` પરમાત્માનાં અનંત જ્ઞાન અને પ્રેમની કળાઓ છે.
સમગ્ર વિશ્વ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના જ વિલાસ છે. જગત્પ કા પોતાનું કારણ જે પરમાત્મા તેથી જુદું નથી, અને તેથી જ વિ નાત્ જ્ઞ ઃિ। પરમેશ્વર એ જ જગત્ છે, અને જગત એ જ પરમેશ્વર છે, સર્વ વિદ્ બ્રહ્મ, નેહ નાનત્તિ વિન। આ બધુ બ્રહ્મ જ છે, બ્રહ્મથી ભિન્ન એવી કશી વસ્તુ અહી' છે જ નહિ, એવાં એવાં અનેક વચનો સત્શાસ્ત્રોમાં સ્થળે સ્થળે દષ્ટિએ પડે છે.
તમારું અને મારું મન જે સત્તાવર્ડ ક્રિયા કરે છે, તે સત્તા પરમાત્મસત્તા છે. પ્રત્યેક મનુષ્યનું મન પરમાત્મસત્તાવડે જ વિચાર કરે છે. પરમાત્મ સત્તા ન