SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધને ] ૧૭ તે જ પ્રમાણે સ્થાવરજંગમ પ્રત્યેક પદાર્થમાં બ્રહ્મત્વ પૂર્ણપણે રહેલું છે. સમગ્ર બ્રહ્મ, મર્યાદાવાળો એક પદાર્થ અથવા પ્રાણી છે, એમ નહિ પરંતુ પ્રત્યેક પ્રાણી પદાર્થ બ્રહ્મસ્વરૂપ છે, અર્થાત પ્રત્યેક પ્રાણી પદાર્થ એક પરમાત્માનાં જ પ્રતીત થતાં ભિન્ન ભિન્ન રૂપે છે. પરમતત્વ પથરામાં પથરારૂપે લેહમાં લેહરૂપે, વૃક્ષમાં વૃક્ષરૂપે પ્રાણીમાં પ્રાણીરૂપે અને મનમાં મનુષ્યરૂપે થઈ રહ્યું છે. જેમ દિવેલ એ દીપકને પિતાને પ્રકાશ પ્રકટ કરવાનું ઊતરતા પ્રકારનું દ્વાર છે, તેલ એ તેથી ચઢતા પ્રકારનું દ્વાર છે, અને ઘી એ તેથી પણ ચઢતા પ્રકારનું દ્વાર છે, તેમ પથરે એ પરમતત્વને પિતાનું સામર્થ્ય પ્રકટ કરવાનું બહુ ઊતરતા પ્રકારનું દ્વાર છે, વૃક્ષ એ તેથી ચઢતા પ્રકારનું દ્વાર છે, પશુ એ તેથી પણ ચઢતા પ્રકારનું દ્વાર છે, અને મનું શરીર એ આ ભૂલકમાં સર્વથી ચઢતા પ્રકારનું દ્વાર છે. મનુષ્યશરીરમાં આ પરમાત્મા પૂર્ણપણે પિતાના સર્વ ઐશ્વર્યથી પ્રકાશે છે; અને તેથી જ મનુષ્ય શરીર સર્વ શરીરમાં શ્રેષ્ઠ શરીર ગણાયું છે. દીપકને પ્રકટ થવાની સામગ્રી—જેવી કે દિવેલ, દિવેટ વગેરે-તે જેમ જેમ શુદ્ધ અને ઊંચા પ્રકારની હોય છે તેમ તેમ દીપક અધિક અધિક પ્રકાશથી પ્રકાશે છે, તેમ પરમાત્માને પ્રકાશ પામવાનું દ્વાર જે મનુષ્ય શરીર તે જેમ જેમ શુદ્ધ અને ઊંચા પ્રકારનું હોય છે તેમ તેમ તે શરીરમાં પરમાત્મા અધિક અધિક પ્રકાશથી પ્રકાશે છે; તે એટલે સુધી કે બ્રહ્મવિદ્યૌવ મવતિ એ શ્રતિવચન પ્રમાણે મનુષ્ય પરમાત્મારૂપ જ થઈ રહે છે, અર્થાત પરમાત્માનું સર્વત્તપણું, સર્વશકતપણું, સર્વ ઐશ્વર્ય વગેરે મનુષ્યમાં પ્રકટ થઈ રહે છે. પ્રત્યેક ચરાચર પ્રાણી પદાર્થોના અસ્તિત્વ હેવાપણું)માં પરમાત્મા કારણ છે, એટલું જ નહિ, પરંતુ પ્રત્યેક ક્ષણે જયાં સુધી તે પદાર્થ અસ્તિત્વમાં રહે છે, ત્યાંસુધી પરમાત્મા તે પદાર્થના અણુઅણુમાં વ્યાપી રહેલા હોય છે. આ પ્રમાણે પ્રાણી પદાર્થના અણુઅણુમાં પરમાત્મા વ્યાપી રહીને તે પ્રાણીપદાર્થનું સંરક્ષણ પિષણ તથા સંહાર કરે છે. સંહાર એ આપણી દષ્ટિએ જ માત્ર છે; વસ્તુતઃ સંહાર એ તે પદાર્થની વધારે ઊંચી સ્થિતિ કરવા અર્થે જ હોય છે, કારણ કે એક વસ્તુની વધારે ઊંચી સ્થિતિ કરવી હોય તે તેની જે સ્થિતિ હોય તેને નાશ કર્યા વિના થતી નથી. આથી પરમાત્માની સંહારક સત્તા, ઘણું જેમ ધારે છે તેમ નિમ્બર નથી, પણ કરણાળુ અને
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy