SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર રહે છે. અમર્યાદમાં એકાકાર ન થવાથી અમર્યાદના ધર્મો તેમનામાં પ્રતા નથી. એથી ઊલટું જેઓ પિતાને મર્યાદાવાળા જીવને મિથ્યા માને છે, અને અમર્યાદ શિવત્વને જ સાચું માને છે, અને તેમ માનીને તેમાં વારંવાર પિતાના હુંપણાને એકાકાર કરવા પ્રયત્ન સેવ્યા કરે છે, તેઓ દિવસે દિવસે અમર્યાદના ધર્મોને પિતાનામાં પ્રકટાવ્યા વિના રહેતા નથી. મનુષ્ય ગમે તે બુદ્ધિમાન અથવા સત્તા સંપન્ન હોય તો પણ અમર્યાદઆગળ તેની બુદ્ધિ અને સત્તા સમુદ્રના બિન્દુજેટલી છે; અને આથી અમર્યાદની પિતાના એક પણ વ્યવહારમાં ઉપેક્ષા કરવી એ તેને પિતાને જ હાનિ કરનાર છે. પિતાના મર્યાદાવાળા સામર્થ્ય ઉપર આધાર રાખવો, અને તે આધાર પણ જ્યારે આ મર્યાદાવાળું સામર્થ્ય અમર્યાદમાં એકાકાર થવાથી પ્રતિવર્ષ વધતું જવાના સર્વ સંભવો છતાં પણ રાખી રહે, એના જેવી મૂર્ખતા બીજી એકે નથી. સ્થલ શરીરનું અભિમાન ત્યજી સૂક્ષ્મ અને કારણ શરીરમાં સ્થિર થતાં પણ જ્યારે આપણને આપણામાં આશ્ચર્યકારક શક્તિઓ પ્રકટેલી ભાસે છે, તે પછી મહાકારણ શરીરમાં અને તેનાથી પણ પાર અમર્યાદમાં આપણું હુંપણને સ્થિર રાખવાથી આપણામાં શું શું ઐશ્વર્ય પ્રકટવાં અસંભવ છે, તેનું ઉત્તર જડતું નથી. અનન્ય ભક્તિ સાધવાનું, અથવા પિતાનું હુંપણું વિલાવીને પરમાત્મામાં અભેદ થવાનું સન્શાસ્ત્રો જે નિરંતર પ્રબોધે છે, તેનું કારણ આ જ છે. પરમાત્મામાં અભેદ એ પરમાત્માકાર જ કરે છે. ભક્તિ, યોગ અને તત્વવિચારનો પરિણામ આ અભેદમાં જ આવે છે. આધાર રાખવો, એ ભક્તિને એક પ્રકાર છે, પણ સર્વોત્તમ નહિ જ. અમેદ સ્થિતિમાં આવવાનું એ પગથિયું છે. શ્રી કણ કહે છે કે ભક્તો મને પ્રિય છે, પણ તત્વજ્ઞ અર્થાત મને પિતાના રૂ૫ જેનાર તે મારું સ્વરૂપ જ છે. હું અને તે એક જ છીએ. મર્યાદાવાળા હુંપણામાં રહીને કઈ ક્રિયા ન કરે, પણ અમર્યાદમાં હુને વિલાવી, તેવા ભાનથી ક્રિયા કરે. અવકાશના સમયમાં વારંવાર અમર્યાદમાં એકાકાર થઈને ત્યાંથી સામર્થ્યને સંપાદન કરી વ્યવહાર કરે. પિતાને કુક કદી પણ ન ધારે, પણ શુદ્રની પાછળ મહાનને જોઈને તથા જાણીને તે ક્ષુદ્રને મહાનરૂપ કરી મૂકે. આવી રીતે જ ઉન્નતિ પામી શકાય છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy