SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ [ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર જરૂર તે હોય છે. આ કારણથી ગમે તેમ થાય તો પણ આપણે વિપત્તિના અનુમાનથી કદી પણ હિંમત હારી જવી ન જોઈએ, અથવા ઢગલા જેવા થઈ જવું ન જોઈએ. ૩૧૧. દુઃખના વખતમાં હિંમત હારી ન જવાય, પણ હિંમત રાખી શકાય એટલા માટે આપણે જાણવું જોઈએ કે જે આપણે મનઉપર લેઈશું તે ગમે તેવી વિપત્તિની સામે બાથ ભીડવાનું આપણમાં પૂર્ણ સામર્થ્ય છે. વળી આપણે સ્મરણમાં રાખવું જોઈએ કે નિષ્ફળતા એ શું છે, એવા શબ્દો જે કદી પણ ઉચ્ચાર કરતા નથી, તેને પ્રત્યેક વસ્તુ સાહાય આપે છે. દુઃખનાં ચઢી આવેલાં કાળાં વાદળાંમાં તમને પ્રકાશનું કિરણ ને જણાય તે વાદળાંની અંદર થઈને પેલી પાર દષ્ટિ નાંખજે. ત્યાં તમને અત્યંત તેજસ્વી પ્રકાશ દૃષ્ટિએ આવશે. વળી બહાર તમને તેજસ્વી કિરણે ન જણાય તે તમારા પિતાના મનમાં તમે અત્યંત તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરી શકે એમ છે. કલ્પનાવડે આ પ્રકાશ ઉત્પન્ન કરે, અને તેમાં તમારા મનને એકાગ્ર કરવાથી અલ્પ સમયમાં તમારા મનને અંધકાર નષ્ટ થઈ તમારી સમગ્ર વૃત્તિઓ પ્રકાશિત થઈ જશે અને તમારે અંધકારમાં બાથેડિયાં મારવાં છૂટી જશે એટલું જ નહિ પણ તમારે ભવિષ્યને માર્ગ પણ તમને અત્યંત સ્પષ્ટ થશે. ૩૧ર. જ્યારે તમને વિપત્તિ સમીપ આવેલી જણાય ત્યારે તમે પોતે સર્વ પ્રકારે સર્વોત્તમ થાઓ. જો તમે સર્વોત્તમ થશે તે તમારો વાંકે દિવસ ફરવા માંડશે; પણ જે તમે બગડતા ચાલશે, અને નીચી અને વધારે નીચી ભૂમિમાં ઊતરતા જશે તે તમારે કેવળ વિનાશ થતા પર્યત તમારા દિવસો વધારે અને વધારે બગડતા ચાલશે. સ્મરણમાં રાખો કે તમારા જીવનમાં જે કંઈ બને છે અથવા નથી બનતું, તે તમારા વર્તન પ્રમાણે જ બને છે, અથવા નથી બનતું; આથી તમારે નિરંતર વધારે ઊંચી અને ઊંચી ભૂમિકામાં ચઢવું જોઈએ અને પ્રતિદિન વધારે શ્રદ્ધા, વધારે નિશ્ચય, વધારે પ્રસન્નતા, વધારે હિંમત, વધારે ઉત્સાહ, વધારે વીર્ય અને વધારે વિશુદ્ધિ ધર્યા કરવાં જોઈએ. જ્યારે શ્રદ્ધા ડગુમગુ થતી જણાય ત્યારે પૂર્વ કરતાં પણ વધારે શ્રદ્ધાને ધરો; ઊંચે ચઢે, અને વધારે ઊંચા અને વધારે બળવાન વિચારોના પ્રદેશમાં નિવાસ કરે, અને મનની તથા આત્માની વધારે ઉચ્ચ શક્તિઓ પ્રતિ મનને વધારે પૂર્ણ રીતે અભિમુખ રાખો. અને આ સઘળું કરવા સાથે પરમેશ્વરના ઉપર આધાર રાખો. પરમાત્મામાં પૂર્ણ અભેદના ભાનપૂર્વક જીવન ગાળ્યા વિના કોઇપણ મનુષ્ય સર્વોત્તમ થઈ
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy