SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ [ શ્રી વિશ્વવધવિચારરત્નાકર ૩૦૬. જે કાંઈ આપણે જાણવું હોય તે સર્વ આપણા અંતઃકરણમાં પ્રકાશવાને આ જગતમાં તૈયાર છે, પરંતુ જયાં સુધી તે જાણવાના સામર્થ્યને વિકાસ કરવામાં આપણે પ્રમાદ સેવીશું ત્યાં સુધી આપણે અજ્ઞાનમાં જ ગોથાં ખાધા કરીશું. આમ હોવાથી આ સર્વ, માનસિક યોગ્યતાઉપર, સમજશક્તિઉપર, બુદ્ધિઉપર, આંતર દષ્ટિઉપર અવલંબીને રહેલું છે. સત્યને માર્ગ કાઈ એવો ગુપ્ત અને અગમ્ય માર્ગ નથી કે પરમેશ્વરના અનુગ્રહપાત્ર માત્ર થોડા જ મનુ તેને જાણી શકે. આ મહાન માર્ગ તે બીજું કંઈ જ નથી, પણ મનની વૃદ્ધિ કરવાને, મનને વિકાસ કરવાને, મનને કેળવવાને માર્ગ છે. જેનું મન વિકાસને પામ્યા કરે છે, તે મનુષ્ય તેને હમણાં જ જે જાણવું હોય છે, તે જાણે છે, કારણ કે જાણવાની તેની ઈચ્છા જેટલા વેગથી વૃદ્ધિને પામે છે, તેટલા જ વેગથી તેની જાણવાની યોગ્યતા પણ વૃદ્ધિને પામે છે. ૩૦૭. પ્રત્યેક મનુષ્ય પોતાના મનને વિકાસ કરી શકે એમ છે; અને તેમ કરવાના ઘણાં માર્ગ અને રીતે છે; પરંતુ રાઉથી સહેલામાં સહેલો માર્ગ એ છે કે જે થોડી વારે આપણને સાચી જણાઈ હોય તેમને આપણે નિત્યના જીવનમાં આચારમાં મૂકવી. આ માર્ગ જેમ સહેલામાં સહેલું છે, તેમ સર્વોત્તમ પણ છે, કારણ કે કોઈ વાતને આચારમાં ઉતારવાને માટે જે બળને આપણે ઉપયોગ કરીએ છીએ તે બળ આપણામાં નિરંતર પૂર્ણ રીતે વૃદ્ધિ પામે છે. જે આપણે જાણતા હોઈએ, તેને આચારમાં મૂકવું, એ જ વધારે જાણવાના સામર્થ્યની વૃદ્ધિ કરવા માગે છે. આ જ મનનો વિકાસ કરવાની, મનની યોગ્યતા વધારવાની, મનની વૃદ્ધિ કરવાની કૂંચી છે. જ્ઞાનને માટે અથવા હાલ જે તમે જાણતા નથી તે જાણવાને માટે હાયવરાળ કરવામાં નકામે સમય ન ગાળે. હમણું તમે કંઈક જાણો છે, તે કંઈક, ભલે ગમે તેટલું નિર્માલ્ય હોય તે પણ તેને આચારમાં મૂકે. આમ આચારમાં મૂકવાથી, તમે જાણેલી વાતથી વધારે ઊંચી વાત જાણવાનું તમારા મનમાં સામર્થ્ય આવશે; પછી તે વધારે ઊંચી વાતને પાછી આચારમાં મૂકે. આમ થતાં તમારા મનનું, તેથી પણ વધારે ઊંચી વાત જાણવાનું સામર્થ થશે. પાછી આ “તેથી પણ વધારે ઊંચી વાતને આચારમાં મૂકે, એટલે વળી તમારું મન અધિક વિકાસને પામશે, આમ તે નિત્ય વિકાસ પામતું જશે, તે એટલે સુધી કે જે વાત તેને જાણવી હશે તેને તે સમજી શકશે; તેને કશું જ અગમ્ય નહિ રહે. ૩૦૮. જ્યારે તમારું મન તમારા ઉચ્ચ ઉદ્દેશને ત્યજીને આડું અવળું ભટકતું
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy