SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર ક્વિારહિત પડી રહે છે. આમ છતાં, સંયમી પુરુષને પિતાના મનને વશમાં રાખવાને બળ વાપરવું પડતું નથી. તેને જે કરવું હોય છે, અથવા નથી કરવું હતું તેને તે સરળપણે કરે છે અથવા નથી કરતો. ૨૮૮. બીજાઓના ખોટા જણાતા વિચારો અથવા નિશ્ચયનો તિરસ્કાર ન કરે. તિરસ્કારવૃત્તિ મનને હાનિને કરનારી છે, અને તેથી કઈ પણ વસ્તુનો તિરસ્કાર કરવાથી આપણે આપણું પિતાનું જ અહિત કરીએ છીએ. ૨૯૯, બીજા મનુષ્યની મિત્રતા અથવા પ્રેમ આપણા ઉપર કાયમ રહે, એવી જે આપણી ઈચ્છા હોય તે આપણે ઇર્ષ્યાન ધરનારા ન થવું જોઈએ. ઈમાં સામા મનુષ્યને આપણી પાસેથી ધકકો મારીને વેગળા કરવાનું બળ રહેલું છે, અને તેથી જો આપણે તેને સેવીએ છે એ તે જે મનુષ્યને આપણે અત્યંત પ્રિય સમજીને નિરંતર આપણી પાસે રાખવાને ઇચછીએ છીએ તેને પણ તે ધક્કો મારીને આપણાથી દૂર કાઢી મૂકે છે. ઈષ્ય આપણું અંતઃકરણમાં અશાંતિ ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ, પરંતુ આપણી આજુબાજુ પ્રબળ વિરોધી વાતાવરણ ઉત્પન્ન કરે છે, અને આવા વાતાવરણમાં રહેનાર કોઈ પણ મનુષ્યને મિત્રો લાંબો વખત, તેના મિત્ર રહી શકતા નથી. મને આકર્ષવાની તેમ જ ધક્કો મારીને વેગળા ખસેડવાની એમ બે પ્રકારની ક્રિયા એકી વખતે કરી શકતું નથી. ઈર્ષાની અને અદેખાઈની ખટાશથી જયાંસુધી આપણું મન તથા શરીર ભરેલાં હોય છે, ત્યાં સુધી આપણે કોઈને પ્રેમ સંપાદન કરી શકતા નથી તથા આપણા મનમાં માધુર્ય આવતું નથી. ૩૦૦. હાલ તમે છો તેના કરતાં વધારે મોટા થાઓ, અને જે તમારે જોઈતું હશે તે તમને મળશે તમારો ઉદ્દેશ સફળ થશે; તમારા લક્ષ્યસ્થાને તમે પહોંચશે. તમારી ધારણાઓને સિદ્ધ કરવામાં જો તમે નિફળ થયા છે તે તેનું એક જ કારણ છે અને તે એ કે તમે બહુ જ નાના રહ્યા છે, પરંતુ તમે ઈચ્છો તેવા મોટા થઈ શકે એમ છે, એ જાણીને તમે પ્રસન્ન થશે. - ૩૦૧. તમારામાં મહત્તાને પ્રકટાવો, અને તમારી લઘુતા જતી રહેશે. તમારામાં ગુપ્ત રહેલી મહત્તાને જેમ જેમ તમે બહાર કાઢતા જશે, અને તેને અનુભવ કરતા જશે, અર્થાત જેમ જેમ તમે આધિક મોટા થતા જશે તેમ તેમ સર્વ પ્રકારનાં બંધને, સર્વ પ્રકારની વિપત્તિઓ, સર્વ પ્રકારના રોગો, સર્વ પ્રકારની વ્યથાઓ, સર્વ પ્રકારની નિષ્ફળતાઓ રવલ્પમાં જે જે તમને નથી ગમતું તે તે સર્વ તમારા જીવનમાંથી નાશ પામશે. આમાં ન સમજાય એવું
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy